દિલ્હી હાઈકોર્ટ EDના સમનને પડકારતી અરજી પર 15 મેએ કરશે સુનાવણી

નવીદિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ની અરજીઓ દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court)આગામી 15 મે સોમવારના રોજ સુનાવણી કરશે, જેમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આબકારી નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં જારી કરવામાં આવેલા સમન્સને પડકારવામાં આવશે.
જસ્ટિસ સુરેશ કુમાર કૈતની બેંચે આમ આદમી પાર્ટી (AAP)ના નેતાને એજન્સી દ્વારા સબમિટ કરેલા જવાબ પર પોતાનો જવાબ દાખલ કરવા માટે સમય આપ્યો છે. આ પહેલા હાઈકોર્ટે તેને દંડનીય કાર્યવાહીથી વચગાળાનું રક્ષણ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. કેજરીવાલની 21 માર્ચે EDએ આ કેસમાં ધરપકડ કરી હતી.
EDના વકીલે દલીલ કરી હતી કે અરજીનું કોઈ મહત્વ નથી કારણ કે કેજરીવાલની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. “એફિડેવિટ એ પ્રાથમિક મુદ્દાઓ પર છે કે કેવી રીતે આ મુદ્દો (હવે) બિનમહત્વપૂર્ણ બની ગયો છે,” તેમણે કહ્યું કે એજન્સીના વકીલે કોર્ટને કહ્યું કે ધરપકડને કેજરીવાલ દ્વારા એક અલગ અરજીમાં પડકારવામાં આવી છે અને અપીલ હાલમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિગ છે. આ અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી હતી.
આપણ વાંચો: અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવવાની માંગ કરતી વધુ એક અરજી દિલ્હી હાઈકોર્ટમાં દાખલ
બેન્ચમાં જસ્ટિસ મનોજ જૈન પણ સામેલ હતા. બેંચે પૂછ્યું કે હવે આ મામલે શું બાકી છે. કેજરીવાલ તરફથી હાજર રહેલા સિનિયર વકીલે કહ્યું કે તેઓ EDના પ્રત્યુત્તર બાદ પોતાનો જવાબ દાખલ કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મની લોન્ડરિંગ વિરોધી એજન્સી દ્વારા કરવામાં આવેલી “પ્રારંભિક કાર્યવાહી” કાયદા (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) અનુસાર નથી.
AAPના રાષ્ટ્રીય સંયોજકે ED દ્વારા તેમને જારી કરાયેલા નવમા સમન્સને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટમાં અરજી કરી હતી. તે સમન્સમાં તેમને 21 માર્ચે ED સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. તે જ દિવસે સાંજે ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે તિહાર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
EDનો આરોપ છે કે આ કેસના અન્ય આરોપીઓ એક્સાઇઝ પોલિસી બનાવવા માટે કેજરીવાલના સંપર્કમાં હતા, જે હવે રદ કરવામાં આવી છે. એવો પણ આરોપ છે કે આ નિતીના પરિણામ સ્વરૂપે આરોપીઓને ફાયદો થયો અને બદલામાં તેમણે આમ આદમી પાર્ટીને લાંચ આપી હતી.