
જોધપુરઃ રાજસ્થાનના જોધપુરમાં ‘મૅડ ઈન રાજસ્થાન’ બ્રાન્ડ હેઠળ હાઈટૅક સ્નાઈપર રાઈફલ અને મલ્ટીબેરલ મશીનગનના ઉત્પાદનનું કામ શરૂ થઈ ગયું છે. રૂ. ૧,૫૦૦ કરોડની આ યોજનાને સંરક્ષણ ખાતાની મંજૂરી મળી ગઈ છે. હથિયારોનું પરીક્ષણ વિદેશમાં સફળ રહ્યું છે તેમ જ ટૉન્ગો અને થાઈલૅન્ડ જેવા દેશોએ તેમાં રસ દેખાડ્યો છે.
આ પ્રોજેક્ટ આત્મનિર્ભર ભારત અને સંરક્ષણ શસ્ત્રોની નિકાસને મામલે મોટી છલાંગ પુરવાર થશે. મૅક ઈન ઈન્ડિયા અંતર્ગત રાજસ્થાનમાં સંરક્ષણ ક્ષેત્રને નવી ઓળખ મળશે. ઑપરેશન સિંદૂરની સફળતા બાદ હવે ‘મૅડ ઈન રાજસ્થાન’ બ્રાન્ડ હેઠળ અત્યાધુનિક રાઈફલ અને મલ્ટીબેરલ મશીનગનના ઉત્પાદનું કામ જોધપુરમાં શરૂ થઈ ગયું છે.
આપણ વાંચો: Budget 2025: સંરક્ષણ ક્ષેત્ર માટે સરકારે ખોલ્યો ‘ખજાનો’: દુશ્મન દેશની ઊંઘ થશે હરામ…
૧,૫૦૦ કરોડથી વધુના રોકાણના એમઓયુની તૈયારી
રૂ. ૧,૫૦૦ કરોડથી વધુના રોકાણ સંબંધિત એમઓયુ અમલની તૈયારીમાં છે. સંરક્ષણ ખાતા તરફથી આ માટેની મંજૂરી મળી ગઈ છે અને ફિલ્ડ પરીક્ષણ પણ સફળ રહ્યું છે. મતલબ રાજસ્થાન હવે માત્ર દેશના સંરક્ષણ ક્ષેત્રમાં તેની મજબૂત હાજરી પૂરાવવાની સાથે સાથે મૅક ઈન ઈન્ડિયા અંતર્ગત આંતરરાષ્ટ્રીય સ્તર પર ‘મૅડ ઈન રાજસ્થાન’ને પણ સ્થાપિત કરશે.
સંરક્ષણ સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ રવિન્દ્રસિંહ રાઠોડના જણાવ્યાનુસાર આ યોજના અંતર્ગત તૈયાર કરવામાં આવનારાં હથિયારોનું પરીક્ષણ અગાઉ જ વિદેશમાં કરી લેવામાં આવ્યું છે. આ પરીક્ષણના પરિણામો ઉત્સાહજનક રહ્યા છે.
આપણ વાંચો: સંરક્ષણ ક્ષેત્રમાં ભારતને મળી મોટી સફળતા, બે દિવસમાં બે મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ
ડિફેન્સ મિનિસ્ટ્રીએ યોજનાને બે તબક્કામાં મંજૂરી આપી
સંરક્ષણ ખાતાએ આ યોજનાને બે તબક્કામાં મંજૂરી આપી છે જેને કારણે આ હથિયારોનો માત્ર ભારતીય સેના માટે જ નહીં, પરંતુ નિકાસ માટે પણ ઉપયોગ કરી શકાશે.
હાલના તબક્કે આફ્રિકાના દેશ ટૉન્ગો અને એશિયન દેશ થાઈલૅન્ડે આ હથિયારોમાં રસ દેખાડ્યો છે જે દર્શાવે છે કે રાજસ્થાનની આ ટૅકનિક આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિસ્પર્ધા કરવાની ક્ષમતા રાખે છે. આ યોજના અંતર્ગત મિલિટરી ગ્રેડની સ્નાઈપર રાઈફલ તૈયાર કરવામાં આવી રહી છે જેને સચોટ રીતે લાંબા અંતરનું નિશાન સાધવા ડિઝાઈન કરવામાં આવી છે.
આપણ વાંચો: સંરક્ષણ ક્ષેત્રે ભારતની ક્ષમતાઓ પર અમને છે વિશ્વાસ છેઃ રાજનાથ સિંહ
ભારતને એસ-૪૦૦ મિસાઈલ સિસ્ટમના બે યુનિટ ૨૦૨૬ સુધીમાં આપશે.
રશિયા ભારતને એસ-૪૦૦ (સુદર્શન ચક્ર) મિસાઈલ સિસ્ટમના બાકીના બે યુનિટ વર્ષ ૨૦૨૬ સુધીમાં આપશે, એમ રશિયાના ભારત ખાતેના ડૅપ્યુટી ચીફ ઑફ મિશન રૉમન બાબુશ્કિને સોમવારે કહ્યું હતું. તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સૈન્ય સંઘર્ષ દરમિયાન આ સિસ્ટમે અસરકારક કામગીરી દર્શાવી હોવાનું તેમણે કહ્યું હતું.
ઍર ડિફેન્સ અને ઍન્ટી ડ્રોન સિસ્ટમને મામલે બંને દેશ વચ્ચે દ્વિપક્ષી સહકાર વધારવાના તેમણે સંકેત આપ્યા હતા. બંને દેશ એકમેક સાથેના સહકારનો લાંબો ઈતિહાસ ધરાવે છે અને ઍર ડિફેન્સ સિસ્ટમ બંને દેશ વચ્ચેની ભાગીદારીનો મુખ્ય મુદ્દો છે, એમ તેમણે કહ્યું હતું.