માત્ર સલાહ આપવા માટે બદલ વકીલને સમન્સ? સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હી: ગુજરાતના જાણીતા વકિલે તેના ક્લાયન્ટને જામીન અપાવવા બદલ પોલીસ તંત્ર દ્વારા તેને સમન્સ પાઠવવામાં આવ્યુ હતું. આ મુદ્દાને સુપ્રીમ કોર્ટે ન્યાય વ્યવ્સથામાં હસ્તક્ષેપ ગણાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોલીસ અને તપાસ એજન્સીઓ દ્વારા વકીલોને સમન્સ મોકલવાની પ્રથા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
ક્લાયન્ટને સલાહ બદલ વકિલને આવ્યું સમન્સ
સુપ્રીમ કોર્ટે વકીલોને આવા સમન્સ મોકલવા એ વકાલતની સ્વતંત્રતા અને ન્યાયપાલિકાની સ્વતંત્રતા પર સીધો હુમલો છે. આ ઘટનામાં એક વકીલને ફક્ત તેમના ક્લાયન્ટને કાનૂની સલાહ આપવા બદલ સમન્સ મોકલવામાં આવ્યું હતું. કોર્ટે આ મામલે ગંભીરતા દર્શાવી અને અટોર્ની જનરલ, સોલિસિટર જનરલ, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન અને અન્ય સંગઠનોને નોટિસ જારી કરી સહયોગ માંગ્યો છે.
સમસ્યાનો ઉકેલ જરૂરી છે: SC
કોર્ટે સ્પષ્ટ કહ્યું કે જો વકીલોને માત્ર ક્લાયન્ટને સલાહ આપવા બદલ સમન્સ મોકલવામાં આવશે, તો તે વકાલતની સ્વતંત્રતા જોખમમાં મૂકશે અને ન્યાય વ્યવસ્થા પર ખરાબ અસર પડશે. કોર્ટે આ સમસ્યાનો ઉકેલવાની જરૂરિયાત પર ભાર મૂક્યો, જેથી વકીલો નિર્ભયપણે પોતાનું કામ કરી શકે. આ સાથે, ગુજરાત હાઈકોર્ટના તે આદેશ પર પણ રોક લગાવી, જેણે પોલીસના સમન્સને માન્ય ગણાવ્યું હતું, અને સંબંધિત વકીલને મળતી નોટિસથી સુરક્ષા પણ આપી.
વરિષ્ઠ વકીલોને મળ્યા EDના સમન્સ
સુપ્રીમ કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યા છે કે, શું પોલીસ ફક્ત સલાહ આપનાર વકીલને સમન્સ મોકલી શકે? જો વકીલની ભૂમિકા સલાહથી આગળ વધે, તો શું ન્યાયિક મંજૂરી જરૂરી હોવી જોઈએ? કોર્ટે આવા સમન્સની મંજૂરીથી ન્યાય વ્યવસ્થાની કરોડરજ્જૂ ખતરામાં આવી શકવાની ચેતવણી આપી. આ મામલો તાજેતરમાં બે વરિષ્ઠ વકીલોને ED દ્વારા સમન્સ મોકલવાની ઘટના બાદ વધુ ચર્ચામાં આવ્યો છે.