કોલકાત્તા લો કોલેજમાં ગેંગરેપ: SIT તપાસ કરશે, આરોપીના પિતાનો દીકરાના કૃત્ય પર રોષ

કોલકાત્તા: અહીંની ડોક્ટરના રેપ-હત્યાની ઘટનાને હજી એક વર્ષ પણ પૂરૂ નથી થયું ત્યાં તો શહેરમાંથી બીજી રેપની ઘટના સામે આવી છે.
25 જૂનના રોજ દક્ષિણ કોલકાત્તાની એક લૉ કોલેજમાં ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતી યુવતીના ગેંગરેપમાં સામેલ ત્રણ શખ્શો અને કૉલેજના ગાર્ડની કલકત્તા પોલીસે ઘરપકડ પણ કરી લીધી છે. આ કેસની તપાસ માટે પોલીસની સ્પેશિયલ ટીમ કામે લાગી ગઈ છે.
આપણ વાંચો: કોલકાતા ગેંગરેપ કેસમાં પોલીસની કડક કાર્યવાહી, ચોથા આરોપી પિનાકી બેનર્જીની ધરપકડ
ગેંગરેપની તપાસ માટે SITની રચના
કલકત્તા પોલીસે લૉ કૉલેજના પહેલા અને બીજા વર્ષમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી તથા એક ભૂતપૂર્વ વિદ્યાર્થીની ધરપકડ કરી છે. જેમના નામ અનુક્રમે ઝૈબ અહેમદ(ઉ.19), પ્રમિત મુખોપાધ્યાય (ઉ.20) અનવે મનોજીત મિશ્રા (ઉ.31) છે, જે પૈકી મનોજીત મિશ્રા તૃણમૃલ કૉંગ્રેસ સાથે સંબંધ ધરાવે છે.
તે કૉલેજની તૃણમૃલ કૉંગ્રેસ વિદ્યાર્થી પરિષદનો પૂર્વ પ્રમુખ રહી ચૂક્યો છે. સાથોસાથ તે ટીએમસીના વિદ્યાર્થી સંગઠનના દક્ષિણ કોલકાતા વિંગનો સંગઠન સચિવ પણ છે. આ વાતની પીડિતાના વકીલ પણ પુષ્ટી કરી ચૂક્યા છે.
કોલકાત્તા પોલીસે લૉ કૉલેજ ગેંગરેપ કેસની તપાસ માટે એસીપી પ્રદીપ કુમારની દેખરેખ હેઠળ 5 સભ્યોની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. ચારેય આરોપીને 1 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. જ્યાં તેમની વધારે પૂછપરછ ચાલી રહી છે.
આપણ વાંચો: કોલકાતામાં લૉ કોલેજની વિદ્યાર્થિની સાથે ગેંગરેપ, ત્રણ આરોપીને પોલીસે દબોચ્યા, જાણો શું છે આખો મામલો
તેને કઠોર સજા મળવી જોઈએ: આરોપીના પિતા
આરોપીઓની ધરપકડ બાદ એક આરોપીના પિતાએ મીડિયાને પોતાનું નિવેદન આપ્યું છે. મીડિયા સાથે વાત કરતા ત્રણ પૈકી એક આરોપીના પિતાએ જણાવ્યું કે, “હું પહેલા ભારતનો નાગરિક છું, પછી એક પિતા છે. જે ગુના માટે મારા દીકરાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસ કરી રહી છે. મને ન્યાયપ્રણાલી પર વિશ્વાસ છે.
જો આ કેસમાં તે ગુનેગાર સાબિત થાય તો તેને કઠોર સજા મળવી જોઈએ.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “મારો દીકરો આવા ગુનામાં સંડોવાશે એવું મેં ક્યારેય વિચાર્યું ન હતું. પરંતુ મને કલકત્તા પોલીસની તપાસ પર આસ્થા છે. સ્કોટલેન્ડ યાર્ડ બાદ કલકત્તા પોલીસનું નામ લેવાય છે.”
આપણ વાંચો: સુપ્રીમ કોર્ટે ગેંગરેપ મામલે આપી મહત્વની ટિપ્પણીઃ જાણો શું કહ્યું
આરોપીઓએ ગેંગરેપને કેવી રીતે આપ્યો અંજામ
પ્રમિત મુખોપાદ્યાયે પીડિતા સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ પીડિતાએ તેના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો ન હતો. જેથી ઉશ્કેરાયેલા પ્રમિત મુખોપાદ્યાયે લૉ કૉલેજના ગાર્ડ રૂમમાં આ દુષ્કૃત્ય આચર્યુ હતું.
ઝૈબ અહેમદ અને મનોજીત મિશ્રાએ ગાર્ડ રૂમની બહાર દેખરેખ રાખી હતી. ગેંગરેપની ઘટના દરમિયાન કૉલેજનો ગાર્ડ આરોપીઓના કહેવાથી રૂમની બહાર ચાલ્યો ગયો હતો. પીડિતાએ અનેકવાર મદદ માટે સાદ પાડ્યો હતો. પરંતુ તે તેને બચાવવા ગયો નહોતો.
આપણ વાંચો: સુરત માંગરોળ ગેંગરેપ કેસઃ કોર્ટે બે નરાધમોને આજીવન કેદની સજા ફટકારી
ગયા વર્ષે પણ થઈ હતી રેપની ઘટના
ઉલ્લેખનીય છે કે, 9 ઓગસ્ટ 2024ના રોજ કલકત્તાની આરજી કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલની એક મહિલા ડૉક્ટર સાથે પણ રેપની ઘટના બની હતી. આ કેસમાં સંજય રૉય નામના શખ્શની ધરપકડ કરવામાં આવી હતી.
18 જાન્યુઆરી 2025ના રોજ તેને ગુનેગાર માનીને આજીવન કારાવાસની સજા તથા રૂ. 50 હજારનો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત પીડિતાના માતા-પિતાને 17 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો હતો. હવે લૉ કૉલેજ ગેંગરેપ કેસમાં કેવી કાર્યવાહી થશે, એ જોવી રહી.