
પટના: લગ્નના એક મહિનાના સમયમાં જ મેઘાલયમાં હનીમૂન દરમિયાન પતિની હત્યા કરવાના આરોપસર ઇન્દોરની સોનમ રઘુવંશીની ઉત્તર પ્રદેશ પોલીસે ધરપકડ (Raja Raghuvanshi Murder case) કરી હતી. રાજા રઘુવંશીની હત્યાનો કેસ હાલ દેશભરમાં ચર્ચાના કેન્દ્રમાં છે. આ કેસની વધુ તપાસ માટે મેઘાલય પોલીસ આરોપી સોનમને ઉત્તર પ્રદેશના ગાઝીપુરથી શિલોંગ લઈ જઈ રહી છે. સોનમને પટના અને પછી કોલકાતા થઈને શિલોંગ લઈ જવામાં આવશે.
શિલોંગ પોલીસ સોનમને પોતાની સાથે લઈ જઈ રહી હતી, ત્યારે રસ્તામાં સોનમે પોલીસ સાથે કોઈ વાત કરી ન હતી. જ્યારે એને કઇ પૂછવામાં આવતું ત્યારે તે એક જ વાત કહેતી કે તેને માથામાં દુખાવો થઈ રહ્યો છે. રસ્તામાં સોનમે કઈ ખાધું પણ ન હતું, પોલીસ અધિકારીઓ તેને ખાવા માટે વારંવાર કહ્યું હતું, પણ સોનમે સ્પષ્ટ ના પાડી દીધી હતી.
જ્યારે પોલીસે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે એકદમ ચૂપ રહી. દર વખતે તે એક જ વાત કહેતી કે મને માથાનો દુખાવો થઈ રહ્યો છે.
કોલકાતાથી ફ્લાઈટમાં લઇ જવામાં આવશે:
સોનમને શિલોંગ લઇ જવા યુપી પોલીસ બાદ બિહાર પોલીસે મદદ કરી હતી, સોનમને પટનાથી કોલકાતા લઇ જવામાં આવશે, ત્યાંથી તેને ફ્લાઇટ દ્વારા લઈ જવાની યોજના છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનમ માટે બપોરે 3:55 વાગ્યે પટનાથી કોલકાતા ફ્લાઇટ બુક કરવામાં આવી છે. આ પછી, તેને કોલકાતાથી ગુવાહાટી અને પછી શિલોંગ લઈ જવામાં આવશે.
શિલોંગ પોલીસ દ્વારા કરવામાં આવેલી અત્યાર સુધીની તપાસ મુજબ, આ હત્યામાં સોનમની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે સોનમે તેના પ્રેમી રાજ કુશવાહ સાથે મળીને તેના પતિ રાજા રઘુવંશીની હત્યા કરવાની યોજના બનાવી હતી.
આ પણ વાંચો….રાજા રઘુવંશીનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યો સામે, જાણો શું થયો ખુલાસો?