નેશનલ

સંજય રાઉતનો પ્રિયંકા ચતુર્વેદી પર કટાક્ષ: ઊંચે ઉડ્યા તો સમજી લેજો કપાશે!

‘ઓપરેશન સિંદૂર’ ની સફળતા પછી, ભારતે દરેક મોરચે પાકિસ્તાન અને આતંકવાદ સામે પોતાની પકડ મજબૂત કરી છે. ભારત સરકાર ‘ઓપરેશન સિંદૂર’નો હેતુ અને પાકિસ્તાનનો અસલી ચહેરો દુનિયાને જણાવવા માટે 7 સાંસદોના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળોને વિવિધ દેશોમાં મોકલી રહી છે. આમાં શિવસેના-યુબીટી નેતા અને રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીનું નામ પણ સામેલ છે. શિવસેના-યુબીટી (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા સંજય રાઉતે આ પર નિશાન સાધ્યું છે.

વાસ્તવમાં, સંજય રાઉત પ્રતિનિધિમંડળમાં પ્રિયંકા ચતુર્વેદીની પસંદગીથી નારાજ છે. સંજય રાઉતે પ્રિયંકા ચતુર્વેદીનું નામ લીધા વિના તેમના પર નિશાન સાધ્યું. સંજય રાઉતે ‘X’ પર પોસ્ટ કરી, “જો માણસ અને પતંગ હવામાં ખૂબ ઊંચે ઉડે, તો સમજી લેવું કે કપાવાનો છે.”

રવિશંકર પ્રસાદના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળમાં સમાવેશ થયો છે. ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળમાં પ્રિયંકા ચતુર્વેદીને સામેલ કરવામાં આવ્યા છે. આ પ્રતિનિધિમંડળ યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, જર્મની, ઇટલી અને ડેનમાર્કની મુલાકાત લેશે. પ્રતિનિધિમંડળમાં ડી પુરંદેશ્વરી (ભાજપ), પ્રિયંકા ચતુર્વેદી (શિવસેના-યુબીટી), ગુલામ અલી ખટાના (રાજ્યસભા સભ્ય), અમર સિંહ (કોંગ્રેસ), સમિક ભટ્ટાચાર્ય (ભાજપ) અને પંકજ શરણ (રાજદ્વારી)નો સમાવેશ છે.

પ્રતિનિધિમંડળનો ભાગ બનવા પર પ્રતિક્રિયા આપતા પ્રિયંકા ચતુર્વેદીએ ‘X’ પર પોસ્ટ કરી “ઓપરેશન સિંદૂરનો ભાગ બનવાનો અને રવિશંકરના નેતૃત્વમાં પશ્ચિમ યુરોપની મુલાકાત લેવા માટે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનો ભાગ બનવાનો મને ગર્વ છે. આ આતંકવાદને પાકિસ્તાનના સમર્થન સામે આપણી સંયુક્ત લડાઈ છે.

તેમણે પોતાના નેતા ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેનો આભાર માન્યો. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ પ્રધાન એસ. જયશંકર, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુનો પણ આભાર માન્યો.

આ પણ વાંચો…‘આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર…’, સર્વપક્ષી પ્રતિનિધિમંડળને ‘બારાત’ કહેનારા સંજય રાઉતના શરદ પવારે કાન આમળ્યા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button