ટોપ ન્યૂઝનેશનલ

પશ્ચિમ બંગાળના મહેશતલામાં તોફાનીઓએ મચાવ્યો આતંક, પથ્થરમારમાં અનેક પોલીસકર્મી ઘાયલ

પશ્ચિમ બંગાળ: કોલકાતા (Kolkata)ના દક્ષિણ 24 પરગણા (South 24 Paraganas Clash)ના સંતોષપુરના રવિન્દ્રનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિંસા શરૂ થઈ છે. અહીં મંદિર પાસે ગેરકાયદેસર દુકાનોના બાંધકામ સામેના વિરોધમાં હિંસા (West Bangal Violence)નું સ્વરૂપ લીધું હતું. એટલું જ નહીં પરંતુ બેકાબૂ ભીડે પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ ઘટનામાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા અને એક ડઝન વાહનોને નુકસાન થયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

પથ્થરમારાના કારણે એક મહિલા અનેક પોલીસકર્મીઓ ઘાયલ

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે મંદિર પાસે ગેરકાયદેસર દુકાનોના બાંધકામનો વિરોધ કરી રહેલા બે જૂથો વચ્ચે આ હિંસા શરૂ થઈ હતી. જ્યારે પોલીસ તેમને રોકવા પહોંચી ત્યારે ભીડે હોબાળો મચાવ્યો અને પથ્થર ફેંકીને પોલીસ વાહનના કાચ તોડી નાખ્યા હતાં. ત્યારબાદ ભીડે પોલીસકર્મીઓ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. પથ્થરમારાના કારણે એક મહિલા અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતાં. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવ્યાં હતાં.

ભીડને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા

હિંસા દરમિયાન અસામાજિક તત્વોએ ઘણા વાહનોને આગ પણ લગાડી દીધી હતી. તોફાનીઓને રોકવા માટે પોલીસે તેમના પર ટીયર ગેસના શેલ છોડ્યા અને તેમને પાછળ ધકેલી દીધા. થોડી વાર પછી, તોફાનીઓએ રવિન્દ્રનગર પોલીસ સ્ટેશનની સામે એક મોટરસાઇકલને પણ આગ લગાવી દીધી હતી. આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. આ હિંસા લગભગ એક કલાક સુધી ચાલુ રહી હતી. જો કે, બાદમાં વધારે પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને ભીડનું કાબૂમાં લીધી હતી. અત્યારે આ સમગ્ર વિસ્તારમાં કલમ 163 લાગુ કરી દેવામાં આવી છે.

મમતાના નેતૃત્વમાં બંગાળમાં પોલીસ દળ અને હિંદુઓ સુરક્ષિત નથીઃ ભાજપ નેતા

આ હિંસા બાદ ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યું કે, ‘પશ્ચિમ બંગાળમાં હિંદુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. દરેક જિલ્લામાં હિંદુઓને હેરાન કરવામાં આવી રહ્યાં છે. મહેશતલા, મેટિયાબ્રુઝ, રવિન્દ્ર નગર પોલીસ વિસ્તારમાં હિંદુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. હિંદુઓની દુકાનો અને ઘરો લૂંટાઈ ગયા. ઘણા પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. ઘણા વાહનોમાં તોડફોડ કરવામાં આવી. પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં. મમતા બેનર્જીના નેતૃત્વમાં બંગાળમાં સામાન્ય પોલીસ દળ અને હિંદુઓ સુરક્ષિત નથી. આવતીકાલે અમે વિધાનસભામાં જોરદાર અવાજ ઉઠાવીશું, અમે કોલકાતા હાઈકોર્ટની વિશેષ બેંચ સમક્ષ અરજી દાખલ કરીશું’.

આ પણ વાંચો…પશ્ચિમ બંગાળમાં અમિત શાહના મમતા બેનર્જી પર પ્રહાર, વર્ષ 2026માં ભાજપ સરકાર બનાવશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button