નેશનલ

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારી હત્યા…

જયપુર: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીને પાંચ ડિસેમ્બરના રોજ રાજધાની જયપુરમાં તેમના ઘરમાં ઘૂસીને ગોળી મારવામાં આવી હતી. જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારબાદ તેમને મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. સુખવીર સિંહ પર ફાયરિંગની માહિતી મળતા જ તમામ પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. સ્થાનિક પોલીસ ઉપરાંત વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેમના ઘર આજુ બાજુ પોલીસ તહેનાત કરવામાં આવી હતી.

સુખદેવ સિંહ ગોગામેડીને કેમ ગોળી મારવામાં આવી તે વિશે માહિતી મળી નથી. ગોળી તેમના શ્યામ નગર સ્થિત ઘરમાં જઇને મારવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે તેમના ઘરની આજુ બાજુમાં ઘણા મોટા પ્રમાણમાં પોલીસ તહેનાત કરવામાં આવી હતી. સુખદેવ સિંહને બે વખત ફાયરિંગ કરવામાં આવ્યું હતું પરંતુ ગોળીઓ કોણે મારી ઓ જાણવા મળ્યું નથી.
સુખદેવ સિંહ ગોગામેડી લાંબા સમયથી રાષ્ટ્રીય કરણી સેના સાથે જોડાયેલા હતા.ઘણા સમય પહેલા કરણી સેના સંગઠનમાં વિવાદ બાદ તેમણે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના નામથી અલગ સંગઠન બનાવ્યું હતું. ગોગામેડી તેના પ્રમુખ હતા. તેમણે ફિલ્મ પદ્માવત અને ગેંગસ્ટર આનંદપાલ એન્કાઉન્ટર કેસ બાદ રાજસ્થાનમાં વિરોધ પ્રદર્શનને કારણે ચર્ચામાં આવ્યા હતા.

સુખદેવ સિંહને ગોળી મારી હત્યાના સમાચાર બાદ સમગ્ર જયપુર શહેરમાં હાઈ એલર્ટ મોડ પર આવી ગયું હતું. જો કે હુમલાખોરો કોણ હતા અને ક્યાંથી આવ્યા હતા તે અંગે હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી. હુમલાખોરો સ્કુટર લઇને આવ્યા હતા તેના સિવાય પોલીસને બીજી કોઇ માહિતી મળી નથી. પોલીસ આરોપીની શોધ કરી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…