નેશનલ

રામલલ્લા જે સિહાસન પર બિરાજશે તે બનીને છે તૈયાર

અયોધ્યાઃ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભગવાન રામલલ્લાના તેમના નવનિર્મિત ભવ્ય મંદિરમાં તેમના અભિષેકની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મંદિરનું નિર્માણ કાર્ય ડિસેમ્બર 2025 સુધીમાં ત્રણ તબક્કામાં પૂર્ણ થશે. આ પહેલા મંદિર નિર્માણનો પ્રથમ તબક્કો પૂર્ણ થયા પછી, ભગવાન રામલલ્લા 22 જાન્યુઆરીએ તેમના ભવ્ય મંદિરના ગર્ભગૃહમાં બિરાજશે. આ માટેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, જે મંદિરનું નિર્માણ કાર્ય કરી રહ્યું છે, તે 22 જાન્યુઆરી પહેલા તમામ વ્યવસ્થાઓને ઠીક કરવાની યોજના પર કામ કરી રહ્યું છે. મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લા માટે ભવ્ય સિંહાસન બનાવવામાં આવ્યું છે. મંદિરની અંદરની દિવાલો પર શિલ્પકૃતિઓનું કામ પણ ચાલી રહ્યું છે.

રામલલ્લાનું સિંહાસન 3 ફૂટ ઊંચું અને 8 ફૂટ લાંબુ બનાવવામાં આવ્યું છે. રામ મંદિરના ભોંયતળિયે સ્તંભો પર ભગવાન શંકરની મૂર્તિઓ કોતરેલી છે, જેની તસવીરો મંત્રમુગ્ધ કરી દે છે. મંદિરનો દરેક ખૂણો આકર્ષક રીતે કોતરેલા પથ્થરોથી શણગારવામાં આવ્યો છે.

રામ મંદિરની અંદરની કોતરણીની આ તસવીરોએ લોકોને ભાવુક કરી દીધા છે. મંદિરના અભિષેક પહેલા શિખર પર પાંચ મંડપ બાંધવામાં આવ્યા છે. અભિષેક માટે કરવામાં આવતી વિધિ માટે બે મંડપ બનાવવામાં આવ્યા છે. શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ભવ્ય મંદિરની સુંદર તસવીર બહાર પાડવામાં આવી છે.

અયોધ્યા રામ મંદિરના ગર્ભગૃહનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. તેનું ફિનિશિંગ કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન રામલલ્લાના સિંહાસનને લઈને કેટલીક જાણકારી આવી છે. ભગવાન રામલલ્લા પથ્થર, આરસ અને સોનાની પાટથી બનેલા સિંહાસન પર બિરાજશે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્યએ જણાવ્યું હતું કે આ સિંહાસન રાજસ્થાનના કારીગરો દ્વારા બનાવવામાં આવ્યું છે. આ સિંહાસન 25 ડિસેમ્બર સુધીમાં અયોધ્યા પહોંચશે. આ સિંહાસનને લઈને લોકોમાં ઉત્સુકતા વધી ગઈ છે. આ ઉપરાંત મંદિરના ઉદ્ઘાટન પહેલા અયોધ્યાને એક અલગ લુક આપવાની યોજના પર કામ પણ તેજ થઈ ગયું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…