રાજા રઘુવંશી હત્યા કેસ: ‘ભાઈ બહેન’ના સંબંધ આડમાં ખેલાયો ખૂની ખેલ

ઈન્દોરઃ ઇન્દોરના રાજા રઘુવંશીની હત્યાનો કેસ હાલ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ચોંકાવનારા કેસમાં રાજાની પત્ની સોનમ રઘુવંશી અને તેના કથિત પ્રેમી રાજ કુશવાહા પર હત્યાનો આરોપ છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે સોનમે પોતાના પ્રેમી રાજ માટે પતિની હત્યાની યોજના ઘડી હતી. સોશિયલ મીડિયા પર બંનેની એક સાથે તસવીર પણ વાયરલ થઈ છે, જે લગ્ન પહેલાની હોવાનું કહેવાય છે. આ ઘટનાથી લોકો સ્તબ્ધ કરી દીધા છે.
લગ્ન પછી 23મી મેના ગુમ થયા હતા
સોનમ અને રાજ કુશવાહ પહેલાથી જ અફેરમાં હતા. કેટલીક જગ્યાએ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સોનમના પરિવારને સોનમ અને રાજના સંબંધની જાણ હતી. એટલા માટે તેઓએ ઉતાવળમાં સોનમ અને રાજાના લગ્ન કરાવી દીધા. રાજા રઘુવંશી અને સોનમના લગ્ન 11 મે, 2025ના રોજ ઇન્દોરમાં થયા હતા. લગ્ન બાદ બંને હનીમૂન માટે મેઘાલય ગયા હતા, જ્યાં 23 મેના રોજ બંને ગુમ થયા.
2 જૂને રાજાનો મૃતદેહ મેઘાલયના ઈસ્ટ ખાસી હિલ્સની ખીણમાંથી મળ્યો. શરૂઆતમાં સોનમ પણ ગુમ થયેલી ગણાતી હતી, પરંતુ 8 જૂને તેણે ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં આત્મસમર્પણ કર્યું. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે સોનમે રાજ કુશવાહા સાથે મળીને હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. રાજ, જે સોનમના પિતાની ફર્મમાં કામ કરતો હતો, તેની સાથે સોનમનો પ્રેમસંબંધ હતો. તેણે ત્રણ ગુંડાઓને રૂ. 20 લાખમાં હત્યા માટે હાયર કર્યા હતા. પોલીસે સોનમ, રાજ અને ત્રણ અન્ય આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ હાલ શિલોંગમાં તપાસ હેઠળ છે.
સોનમનું માતૃભૂમિ ઇન્દોરના ગોવિંદ નગર ખારચા વિસ્તારમાં છે. સોનમનો પરિવાર ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલો છે. રાજ કુશવાહા પણ તેમની સાથે કર્મચારી તરીકે કામ કરતો હતો. એવું કહેવાય છે કે સોનમ પણ તેના પિતાને મદદ કરવા માટે ઓફિસમાં આવતી-જતી હતી. આ સમય દરમિયાન, તેણી રાજ સાથે મિત્ર બની ગઈ. સોનમે રાજને ત્રણ વર્ષ સુધી રાખડી બાંધી હતી.
આ માહિતી સોનમના પોતાના ભાઈ ગોવિંદે જણાવી હતી. પરંતુ ભાઈ બહેનના સંબંધની આડમાં બંનેનો પીઠ પાછળ કંઈક અલગ સંબંધ નિભાવી રહ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે રાજ રાજા રઘુવંશીના અંતિમસંસ્કારમાં પણ હાજર હતો અને સોનમના પિતાને સાંત્વના આપતો જોવા મળ્યો હતો.
આ કેસમાં પોલીસે હત્યામાં વપરાયેલું હથિયારો, લોહીથી ખરડાયેલાં કપડાં અને અન્ય પુરાવા મેળવ્યા છે. આ કેસે મેઘાલયના પ્રવાસન પર પણ અસર કરી, પરંતુ પોલીસની ઝડપી તપાસે ષડયંત્રનો પર્દાફાશ કર્યો. હવે આ મામલો કોર્ટમાં જશે, જ્યાં આરોપીઓને કડક સજા થવાની શક્યતા છે.
આ પણ વાંચો…રાજા રઘુવંશીની હત્યા કેસમાં મોટો ખુલાસો, હત્યા બાદ સોનમ સિલિગુડી થઈને ઇન્દોર પહોંચી હતી