નેશનલ

રાજા રઘુવંશી હત્યાકાંડ: કેમ સોનમે રાજાની હત્યા પિસ્તોલથી ન કરી?

ઈન્દોર: રાજા રઘુવંશી હત્યાકાંડમાં મેઘાલય પોલીસ અને SIT એક પિસ્તોલ અને 5 લાખ રૂપિયાની થેલીની શોધમાં જોડાઈ છે. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં સોનમ અને તેના પ્રેમી રાજ કુશવાહાએ રાજાની હત્યાની યોજના બનાવી હોવાનો દાવો પોલીસે કર્યો છે. આ કેસની તપાસમાં રોજ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, સોનમે રાજાની જ પિસ્તોલથી હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

મેઘાલય પોલીસના જણાવ્યા મુજબ, સોનમે રાજા રઘુવંશીની હત્યા માટે રાજ કુશવાહાને 5 લાખ રૂપિયાની થેલી આપી હતી. હત્યામાં વપરાયેલી પિસ્તોલ રાજા રઘુવંશીની જ હોવાનું પોલીસનું માનવું છે, જે સોનમ પાસે હતી. જો કે, કથિત આરોપીઓએ રાજાની હત્યા પિસ્તોલના બદલે ધારદાર હથિયારથી કરી હોવાનો ખુલોશો થયો છે. જોકે, હત્યારાઓએ પિસ્તોલને બદલે ધારદાર હથિયારથી હત્યા કરવાનું સામે આવ્યુ હતું. SIT હવે આ પિસ્તોલ, પૈસાની થેલી અને સોનમના ફોન-ઘરેણાંની શોધમાં છે.

સોનમ-રાજની કાવતરુ
પોલીસ તપાસમાં ખુલ્યું કે સોનમ અને રાજ કુશવાહા મળીને હત્યાનું કાવતરું ઘડી રહ્યા હતા. સોનમનો પરિવાર ઈન્દોરમાં સનમાઈકા શીટનો વેપાર કરે છે, અને સોનમ આ વ્યવસાયમાં સક્રિય હતી. રાજ કુશવાહા, જે 12મું નાપાસ છે, તે આ વેપારમાં એકાઉન્ટન્ટ હતો. અહીં જ સોનમ અને રાજનો સંબંધ બંધાયો હતો. જે હત્યાના કાવતરા સુધી પહોંચ્યા. હાલમાં પાંચ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.

SITએ ટેક્સી ડ્રાઈવર પ્રમોદ સાહા ઉર્ફે પીયૂષની પૂછપરછ શરૂ કરી, જેના પર સોનમને હત્યા બાદ ઈન્દોરથી ઉત્તર પ્રદેશ લઈ જવાની શંકા છે. પોલીસ સોનમના મોબાઈલ અને ઘરેણાં પણ શોધી રહી છે, જે તે હત્યા બાદ લઈ ગઈ હતી. આ તમામ પુરાવા હત્યાના કાવતરાને સમજવા માટે મહત્વના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button