નેશનલ

રાહુલ ગાંધીની મુશ્કેલીમા વધારો, સાવરકર માનહાનિ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે સમન્સના આદેશને રદ કરવાનો ઇનકાર કર્યો

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા અને લોકસભામા વિપક્ષ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીમા વધારો થયો છે. જેમાં રાહુલ ગાંધીને સાવરકર માનહાનિ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચ તરફથી આંચકો લાગ્યો છે. કોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ સમન્સના આદેશને રદ કરવાનો ઇનકાર કરી દીધો છે.

કોર્ટે તેમની અરજી ફગાવી દીધી

આ અરજીમાં રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટના આદેશને પણ પડકાર્યો હતો. જેમા જૂન 2023 માં ફરિયાદી નૃપેન્દ્ર પાંડે દ્વારા તેમની ફરિયાદને ફગાવી દેવા સામે દાખલ કરવામાં આવેલી સુધારણા અરજીને મંજૂરી આપી હતી. આ કેસની સુનાવણી કરતી વખતે ન્યાયાધીશ સુભાષ વિદ્યાર્થીની બેન્ચે મૌખિક રીતે ટિપ્પણી કરી કે રાહુલ ગાંધી વિરુદ્ધ કલમ 397 CrPC(કલમ 438 BNSS) હેઠળ સેશન્સ જજ સમક્ષ જવાનો વિકલ્પ છે. આને ધ્યાનમાં રાખીને કોર્ટે તેમની અરજી ફગાવી દીધી.

આ પણ વાંચો : વીર સાવરકરના માનહાનિના કેસમાં રાહુલ ગાંધીએ કોર્ટ સમક્ષ કરી માંગ! પરિવારજનોએ કર્યો વિરોધ

સ્વતંત્રતા સેનાનીઓના અપમાનનો આરોપ

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન અકોલામાં એક રેલીમાં વીર સાવરકરને નિશાન બનાવીને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમના નિવેદન બાદ દેશભરમાં ઘણી જગ્યાએ તેમની સામે કેસ નોંધાયા હતા. લખનૌમાં વકીલ નૃપેન્દ્ર પાંડેએ પણ આ નિવેદન સામે અરજી દાખલ કરી હતી. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે રાહુલે જાણી જોઈને સાવરકરની ટીકા કરી હતી અને તેમનું નિવેદન સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button