નેશનલ

ઓડિશાના પુરીમાં ગુંડિચા મંદિરમાં ‘સંધ્યા દર્શન’ માટે ઉમટ્યા હજારો શ્રદ્ધાળુઓ’

પુરીઃ ઓડિશાના પુરીમાં ગુંડિચા મંદિરની સામે ‘નવમી તિથિ’ના અવસર પર આજે હજારો ભક્તો ‘સંધ્યા દર્શન’ માટે કતારમાં ઊભા જોવા મળ્યા હતા. નવમી તિથિ એ છેલ્લી તક છે જ્યારે ભક્તો બહુદા યાત્રા પહેલા ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથના તેમના જન્મસ્થળ પર દર્શન કરી શકે છે.

નવ દિવસના રથયાત્રા રોકાણ પછી તેમના મંદિરમાં પાછા ફર્યાં

બહુડા યાત્રા એ દિવસ છે જ્યારે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા નવ દિવસના રથયાત્રા રોકાણ પછી તેમના મંદિરમાં પાછા ફરે છે. આ યાત્રા 27 જૂનથી શરૂ થઈ હતી. પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) વાય.બી. ખુરાનિયા અને રાજ્ય વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓએ દર્શન સરળ રીતે થાય તે માટે કાર્યવાહીનું નિરીક્ષણ કર્યું હતું. ખુરાનિયાએ કહ્યું હતું કે, ‘ભક્તો કતારોમાં મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે અને સવારથી જ આ પ્રક્રિયા સરળતાથી ચાલી રહી છે. ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને ધોરણોનું પાલન કરવાની સલાહ આપવામાં આવી રહી છે.’

આ પણ વાંચો: પુરીમાં જગન્નાથ યાત્રામાં નાસભાગ: સરકારે બે અધિકારીને કર્યાં સસ્પેન્ડ, ડીએમ-એસપીની બદલી

ભક્તોની મોટી ભીડને ધ્યાનમાં રાખીને તમામ વ્યવસ્થા કરી

ખુરાનિયા ઉપરાંત, અધિક મહાનિર્દેશક (એડીજી) સૌમેન્દ્ર પ્રિયદર્શી, વરિષ્ઠ અધિકારી અરવિંદ અગ્રવાલ, પુરી જિલ્લા મેજિસ્ટ્રેટ ચંચલ રાણા, પોલીસ અધિક્ષક (એસપી) પિનાક મિશ્રા અને અન્ય લોકો પણ હાજર હતા. મિશ્રાએ જણાવ્યું હતું કે આ પ્રસંગે ભક્તોની મોટી ભીડને ધ્યાનમાં રાખીને તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

29મી જૂની ભાગદોડમાં પચાસ લોકો થયા હતા ઘાયલ

29 જૂને ગુંડિચા મંદિર પાસે થયેલી દુ:ખદ ભાગદોડ બાદ સુરક્ષા કડક કરવામાં આવી છે, જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને લગભગ 50 લોકો ઘાયલ થયા હતા. શ્રી જગન્નાથ મંદિર વહીવટીતંત્રે અગાઉ કહ્યું હતું કે શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધી સામાન્ય લોકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.

સામાન્ય જનતાનો પ્રવેશ સાંજે 6 વાગ્યાથી બંધ

શ્રી જગન્નાથ મંદિર વહીવટીતંત્રે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “આજે સંધ્યા દર્શન પ્રસંગે શ્રી ગુંડિચા મંદિરના સિંહ દ્વારમાં સામાન્ય જનતાનો પ્રવેશ સાંજે 6 વાગ્યાથી બંધ રહેશે. દેવતાઓની બહુદા યાત્રા પહેલા કરવામાં આવનારી જરૂરી ધાર્મિક વિધિઓ અને વિસ્તૃત તૈયારીઓને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button