loksabha સંગ્રામ 2024નેશનલ

‘રાજસ્થાને મોદીજીને સ્વીકાર્યા’ પ્રહલાદ જોશી અને મેઘવાલે ખુશી વ્યક્ત કરી

નવી દિલ્હી: તેલંગાણા, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે સવારથી જ શરૂ થઈ ગઈ હતી. બપોર સુધીમાં ચારેય રાજ્યોમાં ટ્રેન્ડ લગભગ સ્પષ્ટ થઈ ગયો છે. તેમાંથી ભાજપ હિન્દી હાર્ટલેન્ડના ત્રણ રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે.

નોંધનીય છે કે રાજસ્થાનમાં દર 5 વર્ષે સરકાર બદલવાની પરંપરા છેલ્લા કેટલાક દાયકાઓથી ચાલી રહી છે, તેનું પુનરાવર્તન થતું જોવા મળી રહ્યું છે. અહીં ભાજપ કોંગ્રેસ સરકારને હટાવીને બહુમત તરફ આગળ વધી રહી છે.

સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ રાજસ્થાનમાં જીત તરફ આગળ વધી રહેલા ભાજપના શાનદાર પ્રદર્શન પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે આ જીત પીએમ નરેન્દ્ર મોદીને સમર્પિત કરતા કહ્યું કે, “આજે અમે બધા ખુશ છીએ. લોકોએ ફરી એકવાર મોદીજીને સ્વીકારી લીધા છે. કોંગ્રેસે લોકોને ખોટા વચનો આપ્યા હતા. કોંગ્રેસે જનતાને આકાશ સિવાય બધું આપવાનું વચન આપ્યું હતું. લોકોએ તેમના ખોટા વચનોને ફગાવી દીધા છે. મોદીજીએ સ્વીકારી લીધું છે.

કેન્દ્રીય પ્રધાન અને રાજસ્થાનથી સાંસદ અર્જુન રામ મેઘવાલે પણ રાજસ્થાનમાં પાર્ટીના સારા પ્રદર્શન પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે મોદીજીની ગેરંટી પૂરી થવાની ખાતરી છે. જનતાએ સહકાર આપ્યો છે. કોંગ્રેસે અગાઉ આપેલી બાંહેધરી પૂરી થઈ નથી. તેથી જનતાએ તેમના ગેરવહીવટનો જવાબ આપ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button