નેશનલ

છત્તીસગઢમાં પીએમ મોદીની 30 દિવસમાં ત્રીજી મુલાકાત

પરિવર્તન યાત્રાના સમાપન કાર્યક્રમમાં ભાગ લેશે

રાયપુરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના બિલાસપુર શહેરમાં ભાજપની ‘પરિવર્તન યાત્રા’ના સમાપન સમારોહમાં હાજરી આપશે. છેલ્લા ત્રણ મહિનામાં વડાપ્રધાનની છત્તીસગઢની આ ત્રીજી મુલાકાત છે. બીજેપીના પ્રદેશ અધ્યક્ષ અરુણ સાઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન બિલાસપુરના સાયન્સ કોલેજ મેદાનમાં શનિવારે બપોરે 2 વાગ્યે ‘પરિવર્તન મહાસંકલ્પ રેલી’ના સમાપન સમારોહને સંબોધિત કરશે. વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને શહેરના ત્રણ કિલોમીટરના વિસ્તારને ‘નો ફ્લાઈંગ ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે અને ત્યાં એન્ટી ડ્રોન ગન પણ તૈનાત કરવામાં આવી છે. કાર્યક્રમના સ્થળને સુરક્ષા કવચ હેઠળ રાખવામાં આવ્યું છે. કાર્યક્રમની સુરક્ષા માટે પોલીસ, સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG), છત્તીસગઢ સશસ્ત્ર દળો, રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ અને હોમગાર્ડના 1500 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

પ્રથમ પરિવર્તન યાત્રા 12મી સપ્ટેમ્બરે દંતેવાડા (દક્ષિણ છત્તીસગઢ)થી કાઢવામાં આવી હતી, જ્યારે બીજી 15મી સપ્ટેમ્બરે જશપુર (ઉત્તરી છત્તીસગઢ)થી કાઢવામાં આવી હતી. અરુણ સાઓએ કહ્યું હતું કે બંને યાત્રાઓએ 87 વિધાનસભા મતવિસ્તારો (કુલ 90માંથી)માં ત્રણ હજાર કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું હતું. બિલાસપુરમાં સમાપ્ત થતાં પહેલાં, આ યાત્રાઓમાં 83 સ્વાગત સભાઓ, ચાર રોડ શો અને વિવિધ જાહેર સભાઓ યોજાઈ હતી.

સાઓએ જણાવ્યું હતું કે, નક્સલ પ્રભાવિત બીજાપુર, સુકમા અને અંતાગઢ મતવિસ્તારોને યાત્રામાં સામેલ કરવામાં આવ્યા નથી, પરંતુ જ્યારે યાત્રા નજીકના મતવિસ્તારોમાંથી પસાર થઈ ત્યારે આ મતવિસ્તારોના લોકો તેમાં જોડાયા હતા. ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ વરસાદ પણ પક્ષના નેતાઓ અને કાર્યકરોના મનોબળને ખતમ કરી શક્યો ન હતો અને દરેક લોકોએ બંને યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સાઓએ દાવો કર્યો હતો કે બંને યાત્રાઓમાં લગભગ 50 લાખ લોકોની ભાગીદારીએ પરિવર્તનની લહેરને તોફાનમાં ફેરવી દીધી છે અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસ રાજ્યમાં સત્તામાંથી બહાર ફેંકાઈ જશે.

રમણ સિંહની આગેવાની હેઠળની ભાજપ સરકાર છત્તીસગઢમાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સામે હારી ગઈ હતી. 15 વર્ષથી સત્તામાં રહેલી ભાજપને આ ચૂંટણીમાં માત્ર 15 બેઠકો મળી શકી હતી. રાજ્યની 90 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસે 68 બેઠકો જીતી હતી. કોંગ્રેસ પાસે હાલમાં 71 બેઠકો છે. ગયા મહિને ભાજપે 21 બેઠકો માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. ચૂંટણી પંચે હજુ સુધી વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…