નેશનલ

PM Modi 14 એપ્રિલના મૈસુરમાં રેલીને સંબોધશે, મેંગલુરુમાં કરશે રોડ શો

બેંગલુરુઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 14 એપ્રિલે લોકસભા ચૂંટણીના પ્રચાર માટે કર્ણાટકના મૈસુર અને મેંગલુરુની મુલાકાત લેશે, એમ રાજ્યના પક્ષના નેતાએ બુધવારે જણાવ્યું હતું.

ભાજપના મહાસચિવ વી સુનિલ કુમારે જણાવ્યું હતું કે વડા પ્રધાન 14 એપ્રિલના રોજ મૈસુરમાં એક મેગા રેલીને સંબોધિત કરશે અને મેંગલુરુમાં રોડ શો કરશે. મોદીના પ્રવાસ કાર્યક્રમ વિશે જણાવતા પાર્ટીની લોકસભા ચૂંટણી પ્રબંધન સમિતિના રાજ્યના સંયોજકે કહ્યું હતું કે વડા પ્રધાન 14 એપ્રિલે સાંજે 4 વાગ્યે એક જાહેર સભાને સંબોધિત કરશે, જેમાં મૈસૂર, ચામરાજનગર, મંડ્યા અને હસન લોકસભા મતવિસ્તારના પક્ષના કાર્યકરો હાજર રહેશે.

આપણ વાંચો: RJD નેતા તેજસ્વી યાદવનો PM મોદીને જવાબ, ‘ભાજપના નેતા ખુદને ભગવાન ન સમજે’

મૈસુરના મહારાજા કોલેજના મેદાનમાં એકત્ર થશે. અહીં પત્રકારો સાથે વાત કરતા કુમારે કહ્યું હતું કે આ એક મેગા રેલી હશે જેમાં ભાજપ અને જેડી(એસ) બંનેના નેતાઓ વડાપ્રધાન સાથે ભાગ લેશે. 14 એપ્રિલે સાંજે 6 વાગ્યે મોદી મેંગલુરુમાં નારાયણ ગુરુ સર્કલથી નવભારત સર્કલ સુધી લગભગ 1.5 કિમીનો રોડ શો કરશે. પાર્ટીના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ પહેલેથી જ આ બંને કાર્યક્રમોને સફળ બનાવવા માટે કામ કરી રહ્યા છે.

કુમારે કહ્યું કે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર પણ 15 એપ્રિલે બેંગલુરુની મુલાકાત લેશે અને મીડિયા સાથે મુલાકાત કરશે. નોંધનીય છે કે કર્ણાટકમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. જ્યારે રાજ્યના દક્ષિણ ભાગોમાં 14 લોકસભા બેઠકો પર 26 એપ્રિલે મતદાન થશે, જ્યારે ઉત્તરીય ભાગોમાં બાકીની 14 બેઠકો પર બીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન થશે. વડા પ્રધાન મોદીએ ગયા મહિને કલબુર્ગી અને શિવમોગામાં મેગા રેલીઓ યોજી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત