નવી દિલ્હીઃ આજે બીજી ઑક્ટોબરે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી છે. વૈશ્વિક સ્તરે, ગાંધીજીની જન્મજયંતિને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધી જયંતિના અવસર પર દિલ્હીના રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું હતું કે મહાત્મા ગાંધીનો પ્રભાવ વૈશ્વિક છે. તેમણે લોકોને ગાંધીના સપનાને સાકાર કરવા માટે કામ કરવા વિનંતી કરી હતી. “ગાંધી જયંતિના વિશેષ અવસર પર હું મહાત્મા ગાંધીને નમન કરું છું. તેમના કાલાતીત ઉપદેશો આપણા માર્ગને પ્રકાશિત કરતા રહે છે. મહાત્મા ગાંધીનો પ્રભાવ વૈશ્વિક છે, જે સમગ્ર માનવજાતને એકતા અને કરુણાની ભાવનાને અનુસરવા માટે પ્રેરિત કરે છે. આપણે હંમેશા તેમના સપનાઓની પરિપૂર્ણતા માટે કામ કરતા રહીએ.” વડા પ્રધાને તેમની પોસ્ટમાં જણાવ્યું હતું કે, “તેમના વિચારો દરેક યુવાનોને તે પરિવર્તનના એજન્ટ બનવા સક્ષમ બનાવે જેનું તેમણે સ્વપ્ન જોયું હતું, જેનાથી દરેક જગ્યાએ એકતા અને સંવાદિતાને પ્રોત્સાહન મળે.”
આ સાથે પીએમ મોદીએ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને પણ તેમની જન્મજયંતિ પર યાદ કર્યા હતા. PMએ ટ્વિટ કરીને કહ્યું હતું કે હું લાલ બહાદુર શાસ્ત્રીજીને તેમની જન્મજયંતિ પર યાદ કરું છું. તેમની સાદગી, રાષ્ટ્ર પ્રત્યેનું સમર્પણ અને ‘જય જવાન, જય કિસાન’ની પ્રતિષ્ઠિત હાકલ આજે પણ પેઢીઓને પ્રેરણા આપે છે. ભારતની પ્રગતિ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને પડકારજનક સમયમાં તેમનું નેતૃત્વ અનુકરણીય છે. આપણે હંમેશા મજબૂત ભારતના તેમના વિઝનને સાકાર કરવા માટે કામ કરતા રહીએ.
આ પહેલા આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ રાજઘાટ પર ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી. લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર એલજી સક્સેનાએ પણ ગાંધી જયંતિના અવસરે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. ગઈકાલે, ગાંધી જયંતિની પૂર્વસંધ્યાએ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી અને લોકોને દેશના કલ્યાણ માટે સમર્પિત થઈને તેમના વિચારો, વાણી અને કાર્યોમાં તેમના મૂલ્યો અને ઉપદેશોનું પાલન કરવાની અપીલ કરી હતી.
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો?
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો?
⦁ અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ ફંક્શનની મૌસમ પૂર બહારમાં ખિલી ઉઠી છે
⦁ પાંચમી જૂલાઈના અંબાણી પરિવારે સંગીત સેરેમનીન