ટોપ ન્યૂઝનેશનલ

કોરોના સામે વડાપ્રધાન મોદીની સુરક્ષા વધારાઈ; હવે પ્રધાનો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત…

નવી દિલ્હી: વર્ષમાં 2020 અને 2021 દરમિયાન ભારતમાં લાખો લોકોના મોત માટે જવાબદાર કોરોના વાયરસ ફરી નવા સ્વરૂપે ફેલાઈ રહ્યો (Rise in Covid-19 cases) છે. સરકારના જણાવ્યા મુજબ હાલ ભારતમાં એક્ટીવ કોવિડ-19 કેસોની સંખ્યા 7 હજારને પાર પહોંચી ગઈ છે, આગામી સમયમાં વાયરસ વધુ ઝડપથી ફેલાઈ તેવી શક્યતા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)ને કોવિડ-19ના ચેપ ન લાગે એ માટે સાવચેતીના પગલા ભરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ વડા પ્રધાનને મળવા જતા તમામ પ્રધાનોને RTPCR ટેસ્ટ કરાવવો ફરજિયાત રહેશે.

નોંધનીય છે કે મોટી ઉંમરના લોકોને કોવિડ-19ના ચેપ માટે વધુ સંવેદનશીલ માનવામાં આવે છે, વડાપ્રધાન મોદીની ઉંમર 74 વર્ષ છે. તેમને કોવિડ-19નો ચેપ લાગવાથી દેશના ઘણા મહત્વપૂર્ણ કર્યોને અસર થઇ શકે છે. જેથી તેમને મળવા આવતા પ્રધનો માટે RTPCR ટેસ્ટ કરાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે.

જો કે સરકાર દ્વારા આ અંગે સત્તાવાર રીતે નિવેદન આપવામાં આવ્યું નથી. મુંબઈ સમાચાર આ અહેવાલોની પુષ્ટિ કરતું નથી.

ભારતમાં કોવિડ-19ના વધતા કેસ:
બુધવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં 7,121 એક્ટીવ કેસ છે. કેરળમાં સૌથી વધુ 2,223 એક્ટીવ કેસ છે. ગુજરાતમાં એક્ટીવ કેસની સંખ્યા 1,223 છે. રાજધાની દિલ્હીમાં એક્ટીવ કેસની સંખ્યા 757 છે. આ ઉપરાંત, પશ્ચિમ બંગાળમાં 747, મહારાષ્ટ્રમાં 615, ઉત્તર પ્રદેશમાં 229, કર્ણાટકમાં 459, તમિલનાડુમાં 204, રાજસ્થાનમાં 138, હરિયાણામાં 125 એક્ટીવ કેસ છે.

મંત્રાલયના આંકડા મુજબ આંધ્રપ્રદેશમાં 72 , આસામમાં 6, બિહારમાં 47, ચંદીગઢમાં 3, છત્તીસગઢમાં 48, ગોવામાં 6, હિમાચલ પ્રદેશમાં 2, જમ્મુ અને કાશ્મીરમાં 9, ઝારખંડમાં 10, મધ્યપ્રદેશમાં 65, મણિપુરમાં 1, ઓડિશામાં 41, પુડુચેરીમાં 10, પંજાબમાં 33, સિક્કિમમાં 33, તમિલનાડુમાં 204, તેલંગાણામાં 11, ત્રિપુરામાં 1 અને ઉત્તરાખંડમાં 3 એક્ટીવ કેસ છે.

આપણ વાંચો : પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરનારા પ્રતિનિધિમંડળ સાથે વડા પ્રધાન મોદીએ કરી મુલાકાત…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button