પશ્ચિમ બંગાળમાં PM મોદીના TMC પર પ્રહાર: મુર્શિદાબાદની ઘટના ‘શરમજનક’, રાજ્ય સરકાર ‘નિર્મમ’

અલીપુરદ્વાર: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારમાં એક જનસભાને સંબોધી હતી. અલીપુરદ્વાર વિશે વાત કરતા PM મોદીએ કહ્યું કે આ ભૂમિ માત્ર સીમાઓથી નહીં, પણ સંસ્કૃતિઓથી જોડાયેલી છે, જે ભુટ્ટાન સીમા, આસામ, જલપાઈગુડી અને કૂચબિહારના ગૌરવ સાથે સંકળાયેલી છે.
તેમણે પશ્ચિમ બંગાળના વિકાસને ભારતના ભવિષ્યનો પાયો ગણાવ્યો અને રાજ્યના વિકાસ માટે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે મમતા બેનર્જીની સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા હતા.
આપણ વાંચો: ગુજરાતના ખેડૂતોને વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે વર્ચ્યુઅલ સંબોધન, ૨.૫0 લાખથી વધુ ખેડૂતો જોડાશે…
પશ્ચિમ બંગાળનો વિકાસ ભારતના ભવિષ્યનો પાયો
વડા પ્રધાને જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, “પશ્ચિમ બંગાળનો વિકાસ ભારતના ભવિષ્યનો પાયો છે. આજનો દિવસ એ જ પાયામાં વધુ એક મજબૂત ઈંટ ઉમેરવાનો દિવસ છે.
” તેમણે અલીપુરદ્વાર અને કૂચબિહારમાં સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો. PM મોદીએ કહ્યું કે આ પ્રોજેક્ટથી 2.5 લાખથી વધુ ઘરો સુધી સ્વચ્છ, સુરક્ષિત અને સસ્તી પાઇપલાઇન ગેસ પહોંચાડવામાં આવશે. આનાથી માત્ર રસોઈ માટે સિલિન્ડર ખરીદવાની ચિંતા જ દૂર નહીં થાય, પરંતુ પરિવારોને સુરક્ષિત ગેસ સપ્લાય પણ મળી રહેશે.
જનતાને હવે TMC પર ભરોસો નથી
વડા પ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળની TMC સરકાર પર નિશાન સાધતા મુર્શિદાબાદની ઘટનાને “શરમજનક” ગણાવી હતી. તેમણે કહ્યું કે, “ગુંડાગર્દીને ખુલ્લી છૂટ આપવામાં આવી. સત્તાધારી પક્ષના લોકો અમુક લોકોના ઘરોને નિશાન બનાવીને સળગાવે છે અને પોલીસ તમાશો જુએ છે.
શું સરકાર આવી રીતે ચાલે?” તેમણે આરોપ લગાવ્યો કે બંગાળની “નિર્મમ” સરકારને જનતા પર થતા અત્યાચારથી કોઈ ફરક પડતો નથી અને દરેક મામલે કોર્ટને દખલ દેવી પડે છે. તેમણે કહ્યું કે જનતાને હવે TMC પર ભરોસો નથી રહ્યો.
આપણ વાંચો: આવતીકાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રમાં: વિધાનસભા ચૂંટણી પહેલા શું આપશે સૌગાદ?
પાકિસ્તાને કલ્પના પણ કરી નહોતી….
વડા પ્રધાને 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “આ આતંકવાદીઓએ આપણી બહેનોના સિંદૂર ભૂંસી નાખવાનું દુસ્સાહસ કર્યું. આપણી સેનાએ તેમને સિંદૂરની શક્તિનો અહેસાસ કરાવી દીધો.” તેમણે કહ્યું કે ભારતે આતંકના એવા ઠેકાણાઓ તબાહ કર્યા છે, જેની પાકિસ્તાને કલ્પના પણ કરી ન હતી.
PM મોદીએ પાકિસ્તાન પર આતંકવાદને પોષવાનો આરોપ લગાવતા કહ્યું કે, “જ્યારથી તેઓ અસ્તિત્વમાં આવ્યા છે, ત્યારથી તેણે માત્ર આતંકવાદને જ પોષ્યો છે.”
આપણ વાંચો: સળંગ 11મી વખત સ્વતંત્રતા દિને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાષણ આપશે
ભાજપ પૂર્વદયની નીતિ પર
PM મોદીએ કહ્યું કે ભાજપ પૂર્વદયની નીતિ પર ચાલી રહ્યું છે. છેલ્લા દાયકામાં ભાજપ સરકારે પશ્ચિમ બંગાળના વિકાસ માટે હજારો કરોડનું રોકાણ કર્યું છે. તેમણે આશા વ્યક્ત કરી કે પશ્ચિમ બંગાળ ફરીથી જ્ઞાન અને વિજ્ઞાનનું કેન્દ્ર બને, “Make In India”નું મોટું કેન્દ્ર બને, અને પોતાની વિરાસત પર ગર્વ અનુભવતા ઝડપથી આગળ વધે.
તેમણે કહ્યું કે એકવીસમી સદીમાં ભારત નવી ક્ષમતા સાથે સમૃદ્ધિની નવી ગાથા લખી રહ્યું છે અને વિકસિત ભારત બનાવવા માટે પશ્ચિમ બંગાળનું વિકસિત થવું અત્યંત જરૂરી છે.
મમતા બેનરજીએ પણ આપ્યો જવાબ
બંગાળમાં મોદીએ રાજ્ય સરકારની ટીકા કર્યા પછી તેના સામે મમતા બેનરજીએ સરકારની ટીકા કરી હતી. ઓપરેશન સિંદૂરનું નામ રાજકીય કારણસર લાભ ખાટવા માટે પણ જાણી જોઈને આપવામાં આવ્યું હતું.
મમતા બેનરજીએ કહ્યું કે તમામ વિપક્ષી પક્ષો એક થઈને દેશના હિતમાં પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર રાજકીય હોળી કરી રહ્યા છે. અમે ઓપરેશન સિંદૂરના સમર્થનમાં છીએ, પરંતુ પીએમ મોદી દેશભરમાં રેલીઓ કરવામાં વ્યસ્ત છે.