નેશનલ

પાકિસ્તાનની કબૂલાત, ઓપરેશન સિંદૂરમાં 11 સૈનિકો માર્યા ગયા 78 સૈનિકો ઘાયલ

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ આતંકી હુમલાનો બદલો લેવા ભારતે 6 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે. ભારતે પાકિસ્તાનના 9 આતંકી કેમ્પોને ઉડાવી દીધા હતા. જેમાં 100 વધુ આતંકી માર્યા ગયા હતા. જેની બાદ પાકિસ્તાને ભારતના અનેક શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલા કર્યા હતા. જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા હતા.

11 સૈનિકો માર્યા ગયા

ત્યારે હવે પાકિસ્તાને હવે સ્વીકાર્યું છે કે ભારતના ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની સેનાના 11 સૈનિકો માર્યા ગયા હતા જ્યારે 78 સૈનિકો ઘાયલ થયા હતા. આમાં 5 વાયુસેના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.પાકિસ્તાને અહેવાલ આપ્યો છે કે ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના અબ્દુલ રહેમાન, દિલાવર ખાન, ઇકરામુલ્લાહ, ખાલિદ, મુહમ્મદ આદિલ અકબર અને નિસાર માર્યા ગયા છે.

વાયુસેનાના સ્ક્વોડ્રન લીડરનું પણ મોત

આ ઉપરાંત પાકિસ્તાન વાયુસેનાના સ્ક્વોડ્રન લીડર ઉસ્માન યુસુફ, ચીફ ટેકનિશિયન ઔરંગઝેબ, ચીફ ટેકનિશિયન નજીબ, કોર્પોરલ ટેકનિશિયન ફારૂક અને સિનિયર ટેકનિશિયન મુબાશીરનું મૃત્યુ થયું છે.

ભારતે શાહબાઝ એરબેઝ પર હુમલો કર્યો

પાકિસ્તાન સ્ક્વોડ્રન લીડર ઉસ્માન યુસુફ સહિત કુલ પાંચ પાકિસ્તાન વાયુસેના માર્યા ગયા હતા. જે બધા જ જેકોબાબાદ એર બેઝ પર તૈનાત હતા. ઉસ્માન અને તેના સાથીઓ ભારત સામે JF-17 ઉડાડવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે ભારતે શહબાઝ એરબેઝ પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચો…..ભારતીય સેનાએ કહ્યું નિયંત્રણ રેખાથી આંતરરાષ્ટ્રીય સરહદ સુધી શાંતિ, કોઇ હૂમલો નહિ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button