ટોપ ન્યૂઝનેશનલ

ભારતની એર સ્ટ્રાઈકમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના 5 આતંકી ઠાર, આ રહ્યું લિસ્ટ

નવી દિલ્હીઃ ભારત પાકિસ્તાન સંઘર્ષનો આજે ચોથો દિવસ છે. પાકિસ્તાને શુક્રવારની રાત અને શનિવારની સવારે જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં 26 સ્થાનો પર ડ્રોનથી હુમલો કર્યો હતો. પહલગામ હુમલાનો બદલો લેવા ભારતે કરેલા ઓપરેશન સિંદૂર દરમિયાન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકીઓના મોત થયા હતા. રક્ષા મંત્રાલય દ્વારા આનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

મુદસ્સર ખડિયાન ખાસ ઉર્ફે અબુ જિંદાલઃ લશ્કર-એ-તૈયબાના આતંકી મુદસ્સર ખાડિયાન ખાસ મરકઝ તૈબા, મુદરિકેનો પ્રમુખ હતો. પાકિસ્તાની સેના દ્વારા તેના અંતિમ સંસ્કારમાં ગોર્ડ ઓફ ઑનર આપ્યું હતું. પાક. આર્મી ચીફ અને પંજાબની મુખ્ય પ્રધાન મરિયમ નવાઝે તેને પુષ્પાંજલિ આપી હતી. નમાજ-એ-જનાજા સરકારી સ્કૂલમાં થઈ હતી, જેનું નેતૃત્વ હાફિઝ અબ્દુલ રઉફે કર્યું હતું. આ દરમિયાન લેફ્ટિનેંટ જનરલ અને પંજાબ પોલીસના આઈજી પણ હાજર હતા.

હાફિઝ મુહમ્મદ જમીલઃ આ જૈશ-એ-મોહમ્મદનો આતંકી હતો. તે મૌલાના મસૂદ અઝહરનો સાળો પણ હતો. મરકઝ સુબ્હાન અલ્લાહ, બહાવલપુરનો પ્રભારી હતો. મુસ્લિમ યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને ફંડિંગમાં સક્રિય ભૂમિકા ભજવતો હતો.

મોહમ્મદ યૂસુફ અઝહરઃ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલો આતંકી હતો. તે પણ મૌલાના મસૂદ અઝહરનો સાલો હતો. તે હથિયારોની ટ્રેનિંગ આપતો હતો. જમ્મુ-કાશ્મીરમાં થયેલા ઘણા આતંકી હુમલામાં તેનો હાથ હતો.

ખાલિદ ઉર્ફે અબુ આકશાઃ લશ્કર-એ-તૈયબાનો આતંકી જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં સામેલ છે. અફઘાનિસ્તાનથી હથિયારની તસ્કરીમાં સામેલ હતો. તેના અંતિમ સંસ્કાર ફૈસલાબાદમાં થયા હતા. જેમાં પાકિસ્તાન સેનાના વરિષ્ઠ અધિકારી અને ડેપ્યુટી કમિશ્નર ઉપસ્થિત હતા.

મોહમ્મદ હસન ખાનઃ જૈશ-એ-મોહમ્મદનો આતંકી મોહમ્મદ હસન ખાન પીઓકે ઑપરેશનલ કમાન્ડર મુફ્તિ અસગર ખાન કાશ્મીરીનો પુત્ર હતો. જમ્મુ-કાશ્મીરમાં થતાં આતંકી હુમલામાં તે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતો હતો.

આ પણ વાંચો…ઓપરેશન સિંદૂરની સફળતા, આતંકી મસૂદ અઝહરના પરિવારના 14 લોકોના મોતનો દાવો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button