નેશનલ

નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મ માટે સંપૂર્ણ તૈયારી, કહ્યું- મારો 100 દિવસનો પ્લાન તૈયાર છે…

નવી દિલ્હી: સરકાર દ્વારા લોકોને જેલમાં મોકલવાના વિરોધ પક્ષોના આરોપોને નકારી કાઢતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નોંધાયેલા મોટાભાગના કેસો એવી વ્યક્તિઓ અને સંસ્થાઓ વિરુદ્ધ છે જેનો રાજકારણ સાથે કોઈ સંબંધ નથી.

એક સમાચાર સંસ્થાને આપેલા ઈન્ટરવ્યુમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ઈમાનદાર વ્યક્તિએ ડરવાની કોઈ જરૂર નથી, પરંતુ ભ્રષ્ટાચારમાં સામેલ લોકોને પાપથી ડરવું જ જોઈએ. મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે તેમણે તેમના ત્રીજા કાર્યકાળની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી 100 દિવસની યોજના વિશે વાત કરવા સાથે તેમણે ઘણા મુદ્દાઓ વિશેષ માહિતી આપી હતી.


ભાષણોમાં લક્ષ્યાંક 2047 નહીં પણ 2024 હોવાના ઉલ્લેખ અંગે તેમણે કહ્યું હતું કે 2024 અને 2047 અલગ છે. જ્યારે દેશ આઝાદીના 75 વર્ષે અમૃત મહોત્સવ ઉજવી રહ્યો હતો, તે જ સમયે મેં આ વિષય સૌની સમક્ષ મૂકવાનું શરૂ કર્યું હતું કે આજથી એક-બે દાયકા પછી 2047માં દેશ આઝાદીના 100 વર્ષ પૂરા કરશે. સ્વાભાવિક રીતે આવા સીમાચિહ્નો કોઈપણ દેશ માટે અત્યંત મહત્ત્વના હોય છે, તે એક રીતે વ્યક્તિને નવા ઉત્સાહ અને નવા સંકલ્પથી ભરી દે છે. હવે જ્યારે આપણે આઝાદીના 100 વર્ષ પૂર્ણ કર્યા છે, તો આપણે આ 25 વર્ષનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરીશું? દરેક વ્યક્તિએ પોતાના માટે એક લક્ષ્ય બનાવવું જોઈએ.


ત્રીજી ટર્મ માટે તૈયારીઓ કરી લીધી છે એમ કહીને તેમણે પોતાનો 100 દિવસનો પ્લાન જણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે મને વિશ્વાસ નથી થતો કે મેં હજી બધું જ તૈયાર કરી લીધું છે. મારે હજુ ઘણું કરવાનું બાકી છે. કારણ કે હું જોઉં છું કે મારા દેશને હજુ કેટલી જરૂર છે. દરેક પરિવારનું સપનું, તે સપનું કેવી રીતે પૂરું થશે તે મારા હૃદયમાં છે. એટલા માટે હું કહું છું કે અત્યાર સુધી જે થયું તે ટ્રેલર છે. હું ઘણું બધું કરવા માંગુ છું. મેં ચૂંટણીમાં જતા પહેલા પ્લાનિંગ શરૂ કરી દીધું હતું. હું 2047ને ધ્યાનમાં રાખીને છેલ્લાં બે વર્ષથી કામ કરી રહ્યો હતો. તેથી મેં દેશના લગભગ 15 લાખ લોકો પાસેથી સૂચનો લીધા છે કે તેઓ આગામી 25 વર્ષમાં દેશને કેવી રીતે જોવા માંગે છે. 15-20 લાખ લોકોએ પોતાના સૂચનો આપ્યા છે.


પીએમ મોદીએ કહ્યું કે એઆઈની મદદથી મેં સૂચનોને વિષય મુજબ ગોઠવ્યા હતા અને આગામી 25 વર્ષના વિઝન માટે દરેક વિભાગમાં અધિકારીઓની સમર્પિત ટીમ બનાવવામાં આવી હતી. હું તેની સાથે બેઠો અને રજૂઆતો લીધી. હું ઈચ્છું છું કે આ દસ્તાવેજ જે હું મારા વિઝનને લઈને બનાવી રહ્યો છું, તે 15-20 લાખ લોકોના વિચારોથી બનેલો હોવો જોઈએ. હું તેને દસ્તાવેજના રૂપમાં તૈયાર કરાવી રહ્યો છું. ચૂંટણીઓ પૂરી થતાં જ હું ઈચ્છું છું કે રાજ્યો આના પર કામ કરે. રાજ્યો આ વિશે શું વિચારે છે અને શું થઈ શકે તેમ છે. નીતિ આયોગની બેઠક બોલાવવામાં આવશે અને વ્યાપક ચર્ચા કરવામાં આવશે. પછી અંતિમ આઉટપુટ બહાર આવશે.


તેમણે કહ્યું હતું કે 2019ની ચૂંટણીમાં પણ હું 100 દિવસનું કામ આપીને ચૂંટણી મેદાનમાં ઉતર્યો હતો. હું પાછો આવ્યો કે તરત જ કલમ 370ની નાબૂદી પહેલા 100 દિવસમાં થઈ ગઈ હતી. પ્રથમ 100 દિવસમાં ટ્રિપલ તલાકમાંથી બહેનો મુક્ત થઈ હતી. સુરક્ષા સંબંધિત યુએપીએ બિલ 100 દિવસમાં જ પસાર થયું. બેંકોનું મર્જર એક મોટું કામ હતું, અમે 100 દિવસમાં તે પણ કરી લીધું. મેં આ બધા કામ પહેલા 100 દિવસમાં કર્યા હતા અને એવી જ રીતે ત્રીજી ટર્મના પહેલા 100 દિવસમાં મારે કયું કામ કરવાનું છે તેનું આયોજન કરું છું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme Astrology marriage dates warning