જન્મદાત્રી બની બાળકોનો કાળ, મુસ્કાન-જુનૈદે ઝેરી રસગુલ્લાથી બાળકોની કરી હત્યા…

મુઝફ્ફરનગર: સામાન્ય રીતે જ્યારે બાળક અગમ્ય કૃત્ય કરે છે, ત્યારે તેના માટે એક કહેવત કહેવાય છે. ‘છોરુ કછોરુ થાય પણ માવતર કમાવતર ન થાય’ આ કહેવતની નિર્થક કરતી ઘટના પ્રકાશમાં આવી છે. મુઝફ્ફરનગરમાં જન્મ દેનારી માતા જ પોતાના બાળકોનો કાળ બની હોવાના સમાચાર મળી રહ્યા છે. માતાએ પોતાના પ્રેમી જુનૈદ સાથે મળીને પોતાના બે માસૂમ બાળકોની ઝેરી રસગુલ્લા ખવડાવીને મારી નાખ્યા. પોલીસે આરોપી માતા મુસ્કાનની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
ઝેરી રસગુલ્લાથી બાળકોની હત્યા કરી
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગુરુવારે બપોરે મુઝફ્ફરનગરના વસીમના બે બાળકો – એક દીકરો અને દીકરી – ઘરમાં રહસ્યમય રીતે મૃત હાલતમાં મળી આવ્યા. બાળકો તેમની માતા મુસ્કાન સાથે સૂતા હતા. શરૂઆતમાં પરિવારે પોસ્ટમોર્ટમ ન કરાવવાનો નિર્ણય લીધો, પરંતુ પોલીસના સમજાવવાથી તેઓ માન્યા. પોસ્ટમોર્ટમમાં બાળકોના શરીર પર કોઈ ઈજાના નિશાન ન મળ્યા, પરંતુ મુસ્કાન પર શંકા જતા પોલીસે તેની કડક પૂછપરછ કરી, જેમાં હત્યાનું રહસ્ય ખુલ્યું.
પ્રેમ પ્રકરણ અને હત્યાની સાજિશ
પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે મુસ્કાનનું જુનૈદ સાથે લાંબા સમયથી પ્રેમ પ્રકરણ ચાલતું હતું. બંને લગ્ન કરવા માગતા હતા, પરંતુ જુનૈદ બાળકોનો ખર્ચ ઉઠાવવાની ના પાડી. આથી બંનેએ મળીને હત્યાનું કાવતર ઘડ્યું. જુનૈદ ઝેરી દવા લાવ્યો, જેને મુસ્કાને રસગુલ્લામાં ભેળવીને બાળકોને ખવડાવી દીધી. બાળકોના મોત બાદ જુનૈદ લગભગ એક કલાક ઘરમાં રોકાયો હતો.
પોલીસ તપાસ અને આગળની કાર્યવાહી
પોલીસે મુસ્કાનનો મોબાઈલ જપ્ત કર્યો અને તેનું કોલ રેકોર્ડ (સીડીઆર) તપાસવાનું શરૂ કર્યું. આગળ પોલીસ જુનૈદ ક્યાથી દવા લાવ્યો છે, તે જાણવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે. હાલ બંને આરોપી પોલીસના કબ્જામાં છે.