નેશનલ

મોદી સરકાર ‘મનરેગા’નું નામ બદલશે! આ નવા નામથી ઓળખાશે યોજના

નવી દિલ્હી: દેશના ગ્રામીણ ક્ષેત્રો માટેની મહત્વપૂર્ણ રોજગાર યોજના મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ(MNREGA)નું નામ કેન્દ્ર સરકાર બદલવા જઈ રહી છે. આ યોજનાને “પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના” એવું નામ આપવામાં આવી શકે છે. આજની કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં આ મુદ્દે નિર્ણય લેવામાં આવી શકે છે.

આ યોજનાની શરૂઆત કોંગ્રેસની આગેવાની હેઠળની UPA સરકાર દ્વારા વર્ષ 2005માં કરવામાં આવી હતી, શરૂઆતમાં આ યોજના રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ 2005 તરીકે ઓળખતી હતી. વર્ષ 2009માં આ યોજના સાથે મહત્મા ગાંધીનું નામ જોડવામાં આવ્યું હતું, ત્યારથી આયોજના મનરેગા તરીકે ઓળખાય છે. હવે મોદી સરકાર આ યોજાનાનું નામ બદલવા જઈ રહી છે.

મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ(MNREGA) એ એક લેબર લો છે, જેનો હેતુ ગ્રામીણ વિસ્તારમાં રહેતા નાગરિકોને રોજગારી પૂરી પડવાનો છે, તેને ભારતના ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ માનવામાં આવે છે. નાણાકીય વર્ષ 2025-26ના બજેટમાં આ માટે 86,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જે ગયા વર્ષ કરતા 10% વધુ છે.

આપણ વાચો: મનરેગા કૌભાંડમાં ભરૂચના ભાજપના સાંસદ મોટો ધડાકો: ગાંધીનગરવાળા દૂધે ધોયેલા નથી…

શું છે મનરેગા યોજના?

આ યોજનાનો હેઠળ નાણાકીય વર્ષમાં ગ્રામીણ નાગરીકોને ઓછામાં ઓછા 100 દિવસની રોજગાર મળે તેની ખાતરી આપવામાં આવે છે. જેથી ગ્રામીણ વિસ્તારમાં અંત્યંત ગરીબી નાબુદ કરી શકાય. વિશ્વ બેંકે આ યોજનાને ગ્રામીણ વિકાસનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. 2022-23 સુધીમાં મનરેગા યોજના હેઠળ 15.4 સક્રિય કામદારો નોંધાયેલા હતાં.

આજની કેબીનેટ બેઠકમાં મનરેગાનું નામ બદલવા ઉપરાંત પરમાણુ ઉર્જા બિલ અને ઉચ્ચ શિક્ષણ બિલને મંજૂરી આપવામાં આવી શકે છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button