ટોપ ન્યૂઝનેશનલ

પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર દુર્ઘટના, સુહેલદેવ એક્સપ્રેસના 2 કોચ અને એન્જિન પાટા પરથી ખડી પડ્યા

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર મંગળવારે રાત્રે લગભગ 9 વાગ્યે ટ્રેન દુર્ઘટના નોંધાઇ હતી. દિલ્હીના આનંદ વિહાર અને ઉત્તર પ્રદેશના ગાઝીપુર વચ્ચે ચાલતી સુહેલદેવ એક્સપ્રેસના બે ડબ્બા અને એન્જિન પાટા પરથી ઉતરી ગયા હતા. ઉત્તર મધ્ય રેલવેએ આ માહિતી આપી છે.

ઉત્તર મધ્ય રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘ટ્રેન સ્ટેશનથી નીકળી હતી ત્યારે એન્જિનના બે પૈડા પાટા પરથી ઉતરી ગયા હતા. એન્જિનની પાછળના બે કોચ પણ પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટના પ્લેટફોર્મ નંબર છ પર બની જ્યારે ટ્રેનને ગ્રીન સિગ્નલ બતાવવામાં આવ્યું હતું, પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી.’

આ રૂટ પર ટ્રેનોનું સંચાલન હાલમાં સામાન્ય છે. આ ઘટના રાત્રે 9 વાગ્યાની આસપાસ બની હતી. એન્જિન અને કોચ પાટા પરથી ઉતરવાનું કારણ જાણવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button