મહારાષ્ટ્રના ‘રમી’ પ્રધાન કોકાટેની હકાલપટ્ટી: ફડણવીસ અને મહાયુતિ સરકાર પર વધતું દબાણ

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ઉથલપાથલ મચી ગઈ છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ (અજિત પવાર જૂથ)ના નેતા માણિકરાવ કોકાટે આ વર્ષની શરૂઆતમાં વિધાનસભા સત્ર દરમિયાન ફોન પર રમી રમતા પકડાયા હતા. તેમને આજે સવારે રાજ્યના રમતગમત પ્રધાનપદેથી બરતરફ કરવામાં આવ્યા છે, પરંતુ સરકાર પર દબાણ વધ્યું છે.
જોકે, તેઓ હાલ પૂરતા પ્રધાન (કોઈ પોર્ટફોલિયો વિના) અને સિનર બેઠકના ધારાસભ્ય છે. બંને મુદ્દાઓનો ઉપયોગ વિપક્ષ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના શાસક મહાયુતિની ટીકા કરવા માટે કરશે.
કારણ કે ડિસેમ્બર ૨૦૨૩માં ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠર્યા પછી, આ જ વહીવટીતંત્રે કોંગ્રેસના સુનીલ કેદારને ગૃહમાંથી ઝડપથી બરતરફ કર્યા હતા. સાથે જ મુખ્ય પ્રધાન પર તેમના પ્રધાનોને કાબૂમાં રાખવા માટે દબાણ વધ્યું છે.
જુલાઈમાં કોકાટેનો રમી રમતો વીડિયો વાયરલ થયા પછી ફડણવીસે તેમના પ્રધાનોને ચેતવણી આપતા કહ્યું હતું કે અમે કોઈ પણ પ્રકારની વિવાદાસ્પદ કાર્યવાહી સહન કરીશું નહીં. પણ તેની કોઈ અસર થઇ હોય એવું લાગ્યું નહીં. અઠવાડિયામાં જ ભાજપ માટે બે અન્ય હાઇ-પ્રોફાઇલ શરમજનક ક્ષણો આવી હતી.
સૌપ્રથમ એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં કથિત રીતે સંજય શિરસાટ ઇનરવેરમાં હોટેલના રૂમમાં ધૂમ્રપાન કરતા દેખાય છે, અને તેની બાજુમાં રોકડથી ભરેલી બેગ પડી હોય તેવું લાગે છે. શિરસાટે પાછળથી દાવો કર્યો હતો કે બેગમાં કપડાં હતા, રોકડા નહીં, જોકે વીડિયોમાં કેટલીક ચલણી નોટો દેખાતી હતી. સંપત્તિમાં વધારા અંગે તેમને ટેક્સ નોટિસ મળ્યાના એક દિવસ પછી આ ઘટના બની હતી.
થોડા દિવસો પછી, તત્કાલીન જુનિયર ગૃહપ્રધાન યોગેશ કદમ પર રત્નાગિરિ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન અને કાંદિવલીમાં ગેરકાયદેસર ડાન્સ બાર સાથે જોડાણ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. વિપક્ષે તેમના રાજીનામાની માંગણી કરી ત્યારે કદમે બંને આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા.
આપણ વાચો: મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી મોટો વળાંક,
શિરસાટ અને કદમ બંને રાજ્ય સરકારમાં પ્રધાન છે.
શિંદે સેનાના શિક્ષણપ્રધાન દાદાજી ભૂસે પર પણ વિવાદ થયો હતો અને તેમના વિભાગમાં ભરતીમાં અનિયમિતતાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેઓ પણ તેમના પદ પર યથાવત રહ્યા છે.
આ ઘટનાઓ પહેલા, એનસીપી નેતા ધનંજય મુંડેને લઈને પણ વિવાદ થયો હતો. માર્ચમાં બીડમાં એક હત્યામાં તેમના સહયોગીનું નામ સામે આવ્યા બાદ તેમણે પ્રધાનપદ છોડી દીધું હતું. મુંડે જાહેર કાર્યક્રમો અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ સાથે દિલ્હીમાં મુલાકાત સાથે રાજકીય ક્ષેત્રમાં ફરી પ્રવેશ્યા છે, જેનાથી સંભવિત કેબિનેટ ફેરબદલની અટકળો થઇ રહી છે.
કોકાટે વિવાદ કેમ અલગ છે
૧૯૯૫ના આવાસ કૌભાંડ કેસ, જેમાં તેમના ભાઈ વિજય પણ સામેલ છે, નાસિક કોર્ટે તેમની દોષિત ઠેરવીને બે વર્ષની જેલની સજા યથાવત રાખ્યાના કલાકો પછી, બુધવારે કોકાટેએ પોતાનું રાજીનામું રજૂ કર્યું.
તેઓ આર્થિક રીતે નબળા વર્ગો માટે ૧૦ ટકા અનામતનો દુરુપયોગ કરવા બદલ દોષિત ઠર્યા હતા. અલબત્ત, એનસીપી નેતાએ ચુકાદાને પડકારવા માટે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો. કોર્ટે તેમની અરજી શુક્રવારે સાંભળવા સંમતિ આપી, તેથી ધરપકડથી બચવા માટે તેઓ મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ થઈ ગયા.
કોકાટેની સજા અને આગામી ધરપકડથી પવાર અને મહાયુતિ સરકાર પર દબાણ વધ્યું છે. શિરસાટ અને કદમના કિસ્સામાં, હાલમાં તેઓ ફક્ત ખોટા કામના આરોપોનો સામનો કરી રહ્યા છે, જેના કારણે તેમના પક્ષના વડા અને મહાયુતિ માટે તેમનો બચાવ કરવાનું સરળ છે. પરંતુ દોષિત ઠરેલા અને જેલની સજા પામેલા, કોકાટે માટે આ મુશ્કેલ છે,પરંતુ અશક્ય નથી. આ કિસ્સામાં મહાયુતિએ વિપક્ષની ટીકાથી બચવા માટે ઝડપથી કાર્યવાહી કરવી પડશે. ફડણવીસ આ ટાઇમબોમ્બથી વાકેફ છે.



