નેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

Loksabha Election 2024 : અમેઠી અને રાયબરેલી બેઠક જીતવા પ્રિયંકા ગાંધીએ અમલમાં મૂક્યો માસ્ટર પ્લાન, આ રીતે કરશે પ્રચાર

લખનઉ : લોકસભાની ચૂંટણી(Loksabha Election 2024 ) માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. જેમાં દરેકની નજર ઉત્તર પ્રદેશ પર ટકેલી છે. આ રાજયમાં લોકસભાની 80 બેઠકો છે. એવું કહેવાય છે કે દિલ્હીમાં સત્તાનો માર્ગ આ રાજ્યમાંથી પસાર થાય છે. પરંતુ આ બધાની વચ્ચે હાલમાં રાયબરેલી (Rae Bareli) અને અમેઠી(Amethi) હોટ સીટ છે. જ્યાં સ્પર્ધા રસપ્રદ બની રહી છે. અહીં ગાંધી પરિવારની પ્રતિષ્ઠા દાવ પર લાગી હતી. આ જ કારણ છે કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ (Priyanka Gandhi) આ વિસ્તારમાં ધામા નાખ્યા છે અને મતદારોને આકર્ષવા માટે દરેક સંભવિત રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે.

કોંગ્રેસ મહાસચિવ દરરોજ લગભગ 20 શેરી સભાઓ કરશે

જેમાં રણનીતિ મુજબ પ્રિયંકા ગાંધી અમેઠી અને રાયબરેલી વિસ્તારમાં 12 દિવસ રોકાશે. તેમણે અમેઠી-રાયબરેલીની દરેક વિધાનસભામાં શક્ય તેટલા વધુ ગામડાઓ સુધી પહોંચવાનો લક્ષ્ય રાખ્યો છે. જેથી કોંગ્રેસ પક્ષની તરફેણમાં વધુ સારું વાતાવરણ બનાવી શકાય. કોંગ્રેસ મહાસચિવ દરરોજ લગભગ 20 શેરી સભાઓ કરશે. તેમણે બંને બેઠકો પર 500 વિશ્વાસુ કાર્યકરો એક્ટિવ કર્યા છે. જેઓ ગ્રાઉન્ડ લેવલે ચૂંટણી વ્યૂહરચના લાગુ કરવા માટે નજીકથી કામ કરશે.

ચૂંટણીમાં ભાવનાત્મક અપીલ કરવાનો પ્રયાસ

પ્રિયંકા ગાંધી કાર્યકર્તાઓ સાથે વ્યૂહાત્મક બેઠકો કરશે અને સોશિયલ મીડિયા દ્વારા વિરોધ પક્ષને ઘેરશે અને સઘન પ્રચાર કરશે. આ સિવાય અમેઠીમાં અશોક ગેહલોત અને રાયબરેલીમાં ભૂપેશ બઘેલના અનુભવનો ઉપયોગ કરવામાં આવશે. ગાંધી પરિવારે આ વિસ્તારોને મોતીલાલ નેહરુ, જવાહર લાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, સોનિયા ગાંધી, રાજીવ ગાંધી સાથે જોડતા પ્રસંગોનો ઉપયોગ કરીને ચૂંટણીમાં ભાવનાત્મક અપીલ કરવાનો પ્રયાસ કર્યો છે.

બેરોજગારી અને ગરીબી જેવા લોકોના મુદ્દાઓ પર ભાર આપવાનો પ્રયાસ

અમેઠીના ઉમેદવાર કિશોરી લાલ શર્માના અનુભવનો ઉપયોગ રાયબરેલીમાં પણ થશે. કોંગ્રેસે આઝાદીની ચળવળ અને બંધારણ બચાવોના નારા દ્વારા ક્રાંતિની ધરતી પર સત્યની લડાઈનો વિષય રાખ્યો છે. આ સિવાય મોંઘવારી, બેરોજગારી અને ગરીબી જેવા લોકોના મુદ્દાઓ પર ભાર આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સોમવારે કાર્યકરોને મળ્યા બાદ પ્રિયંકા ગાંધી આજે રાયબરેલી-અમેઠીના રસ્તાઓ પર જનતાની વચ્ચે ઉતરશે.

રાહુલને જીતાડવા માટે પ્રિયંકાની રણનીતિ

પ્રિયંકા ગાંધીએ ટાર્ગેટ રાખ્યો છે કે રાયબરેલીથી કોંગ્રેસના ઉમેદવાર અને તેમના ભાઈ રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક કરતાં વધુ મતોથી જીતે. તેની પાછળની વ્યૂહરચના એ છે કે જો રાહુલ ગાંધી રાયબરેલીમાં વધુ મતોથી જીતશે તો વાયનાડ છોડવાનો તર્ક હશે. ગત ચૂંટણીમાં રાહુલ ગાંધી વાયનાડથી 4 લાખ 30 હજાર મતોથી જીત્યા હતા. આ વખતે રાયબરેલીથી ભાજપ ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહનો સામનો રાહુલ સામે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…