કોલકાતાની લો કોલેજમાં સામૂહિક દુષ્કર્મ: ત્રણ જણની ધરપકડ, રાજકીય ગરમાવો

કોલકાતાઃ કોલકતાના દક્ષિણ ભાગમાં આવેલ સાઉથ કોલકાતા લો કોલેજની એક વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
25મી જૂનના સાંજે 7:30 વાગ્યાથી 10:50 વાગ્યાની વચ્ચે કોલેજ કેમ્પસમાં આ સમગ્ર ઘટના બની હોવાનું હતી. આ કેસમાં પીડિતાએ કસ્બા પોલીસ સ્ટેશનનમાં ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસે આ કેસમાં એક ભૂતપૂર્વ વિદ્યાર્થી અને બે વર્તમાન વિદ્યાર્થીની ધરપકડ કરી છે.
આપણ વાંચો: કાયદો અને વ્યવસ્થાને સીધો પડકાર! સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓએ કાઢ્યું વિજય સરઘસ, વીડિયો વાયરલ…
દુષ્કર્મના કેસની તપાસ મુદ્દે પોલીસે શું કહ્યું?
સામૂહિક દુષ્કર્મની સમગ્ર ઘટના કોલેજની અંદર થઈ હતી. પીડિતાનું અત્યારે મેડિકલ પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે પોલીસે અનેક નિવેદન પણ નોંધી લીધા છે. ઘટના સ્થળની તપાસ કરવા માટે તેને બંધ કરીને ફોરેન્સિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
આરોપીઓની વાત કરવામાં આવે તો, પોલીસે લો કોલેજના પૂર્વ યુનિટ અધ્યક્ષ મોનોજિત મિશ્રા, ઝૈબ અહેમદ અને પ્રમિત મુખર્જી ઉર્ફે પ્રમિત મુખોપાધ્યાયની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મિશ્રા અને અહેમદની 26 જૂનની સાંજે તાલબાગન ક્રોસિંગ નજીક ધરપકડ કરવામાં આવી હતી.
જ્યારે પ્રમિતની 27મી જૂને રાત્રે 12:30 વાગ્યે તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ લોકોના મોબાઈલ જપ્ત કરીને તપાસ માટે મોકલ્યાં છે. કોર્ટે ત્રણેય આરોપીઓના 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યાં છે.
આપણ વાંચો: માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસઃ સુરત સ્પેશિયલ પોક્સો કોર્ટે બે આરોપીઓને દોષિત જાહેર કર્યા…
શા માટે ગુનેગારોને કાયદાનો ડર નથી?
દેશમાં દુષ્કર્મની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો પછી કે ગુનેગારોમાં કાયદાનો કોઈ ડર નથી. અત્યારે તો એક નિર્દોષ દીકરીને આ ત્રણ હેવાનોએ પીંખી નાખી છે.
જેથી પરિવારજનો દીકરીને ન્યાય અપાવવા માટે માંગણી કરી છે. એટલું જ નહીં પરંતુ લોકોએ રોષ વ્યક્ત કર્યો અને આરોપીઓને કડકમાં કડક સજા કરવા માટે પોલીસ તથા સરકાર પાસે માંગણી કરી છે.
આપણ વાંચો: કચ્છના બહુચર્ચિત નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડના તમામ 8 આરોપીઓ નિર્દોષ જાહેર
તૃણમૂલ કોંગ્રેસના નેતાની સંડોવણી?
આ સમગ્ર ઘટનાને લઈ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષ નેતા શુભેન્દુ અધિકારીએ રાજ્ય સરકાર પર આક્ષેપો કર્યાં છે. તો સામે બીજેપી નેતા અમિત માલવિયાએ પણ ટીએમસી પર વાક્ પ્રહાર કર્યાં છે.
ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ આ ઘટનાને ભયાનક ગણાવી અને કહ્યું કે તેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને બે કોલેજ સ્ટાફ સામેલ હતા. તેમણે દાવો કર્યો હતો કે આ કેસમાં તૃણમૂલ કોંગ્રેસના સભ્યની પણ ભૂમિકા હોઈ શકે છે. આવી ઘટનાઓમાં દુઃખ વ્યક્ત કરવાની જગ્યાએ રાજકીય લોકો એકબીજા પર આક્ષેપો કરી રહ્યાં છે.