કર્ણાટકમાં 22 સપ્ટેમ્બરથી જાતિ ગણતરી શરૂ કરાશે! સરકારે 420 કરોડ રૂપિયા ફાળવ્યા | મુંબઈ સમાચાર
નેશનલ

કર્ણાટકમાં 22 સપ્ટેમ્બરથી જાતિ ગણતરી શરૂ કરાશે! સરકારે 420 કરોડ રૂપિયા ફાળવ્યા

બેંગલુરૂઃ કર્ણાટકામાં ફરી એકવાર જાતિગત વસ્તી ગણતરી થવાની છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ આ અંગે જણાવ્યું કે, રાજ્યનો સામાજિક અને શૈક્ષણિક સર્વે જેને સામાન્ય રીતે જાતિગત વસ્તી ગણતરી તરીકે ઓળખવામાં આવે છે, તે આગામી 22 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર દરમિયાન યોજાશે. આ અંદાજે 420 કરોડ રૂપિયાનો ખર્ચ થશે તેવો અંદાજ છે. મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, આ સર્વે વૈજ્ઞાનિક રીતે હાથ ધરવામાં આવશે. તેના માટે 60 પ્રશ્નો સાથેની પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવી છે.

22 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર દરમિયાન યોજાશે આ સર્વેક્ષણ

વધુમાં વિગત આપતા સિદ્ધારમૈયાએ કહ્યું કે, કર્ણાટક રાજ્ય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ મધુસૂદન આર નાઈકની અધ્યક્ષતામાં સાત કરોડ લોકોની સામાજિક અને શૈક્ષણિક સ્થિતિને જાણવા માટે આ નવું સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. આયોગ દ્વારા સત્વરે આ સર્વેક્ષણ પૂર્ણ કરીને તેને રિપોર્ટ જમા કરવામાં માટે કહેવામાં આવ્યું છે. જ્યારે આયોગે કહ્યું કે, આ સર્વેક્ષણને સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરીને રિપોર્ટ જમા કરાવી દેવામાં આવશે.

સર્વેક્ષણ માટે રાજ્ય સરકારે 420 કરોડ રૂપિયા ફાળવ્યા

આ સર્વેક્ષણમાં સરકારી શિક્ષકોની ખાસ મદદ લેવામાં આવશે. દશેરાની રજાઓ દરમિયાન શિક્ષકોને આ કામ સોંપવામાં આવશે. મુખ્યપ્રધાને કહ્યું કે, આશરે 1,75,000 શિક્ષકોનો આ સર્વેક્ષમ માટે સહયોગ લેવામાં આવશે. આ દરમિયાન તે શિક્ષકોને 20,000 રૂપિયા પણ આપવામાં આવશે. 1,75,000 શિક્ષકોને 20 -20 હજાર રૂપિયા એટલે રાજ્ય સરકાર પર રૂપિયા 325 કરોડનો ખર્ચ આવશે. આ સર્વેક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા કુલ 420 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યાં છે. એટલું જ નહીં પરંતુ જો આ સર્વેક્ષણાં ખર્ચ વધી જાય છે તો પણ રાજ્ય સરકાર દ્વારા વધારે રૂપિયા ફાળવામાં આવશે. તેવું મુખ્યપ્રધાને જણાવ્યું હતું.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button