ટોપ ન્યૂઝનેશનલ

Budget 2024: આવક વધી છે એટલી મોંઘવારી વધી નથીઃ નાણા પ્રધાને ભાષણમાં વર્ણવી મોદી સરકારની સિદ્ધિઓ

નવી દિલ્હીઃ દેશના લોકો મોંઘવારીથી પરેશાન છે, પરંતુ નાણા પ્રધાન નિર્મલા સિતારામણના ભાષણ અનુસાર દેશમાં જેટલી આવક વધી છે, તેના પ્રમાણમાં મોંઘવારી વધી નથી. સિતારામણ વચગાળાના બજેટ પહેલા સંસદભવનમાં ભાષણ આપી રહ્યા છે અને તેમનાં ભાષમમાં મોદી સરકારે હાંસિલ કરેલી સિદ્ધીઓની લાંબી યાદી જોવા મળે છે.


સરકારની એક એક નીતિ વિશે જણાવતા સીતારમણે તેમનાં બજેટ ભાષણમાં પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે 78 લાખ સ્ટ્રીટ વેન્ડરોમાંથી ઘણાને ત્રીજી વખત લોન મળી છે. તેમણે કહ્યું કે અમારી સરકાર પીએમ વિશ્વકર્મા યોજના દ્વારા પરંપરાગત કારીગરોને મદદ કરી રહી છે. વિકલાંગ હોય કે ટ્રાન્સજેન્ડર, અમારી સરકારની યોજનાઓનો લાભ દરેક લઈ રહ્યા છે. દેશભરના 11.8 કરોડ ખેડૂતોને પીએમ કિસાન સન્માન યોજનાનો લાભ મળી રહ્યો છે.


સીતારમણે કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં અમે રેકોર્ડ સમયમાં દરેક ઘર માટે પાણી, વીજળી, બેંક ખાતા, રાંધણ ગેસ, બધા માટે પાણીનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. 80 કરોડ લોકોને ભોજનની ચિંતા દૂર કરી. અમે 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. ભેદભાવ વિના સૌનો વિકાસ અને ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદ પર અંકુશ એ અમારી સરકારનું લક્ષ્ય છે. કોઈપણ ભેદભાવ વિના તમામને સમાન રીતે સંસાધનોનું વિતરણ કરવામાં આવે છે. 34 લાખ કરોડ રૂપિયા DBT દ્વારા જન ધન ખાતા દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ દ્વારા સરકારે વચેટિયાઓને ખતમ કર્યા.


સીતારમણે કહ્યું- લોકોના આશીર્વાદથી, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમારી સરકારે 2014માં સત્તા સંભાળી, ત્યારે દેશ તેના સબકા સાથ, સબકા વિકાસના મંત્ર સાથે મોટા પડકારોનો સામનો કરી રહ્યો હતો. સરકારે તે પડકારોને યોગ્ય રીતે પાર કર્યા. આપણે ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે; તેમની જરૂરિયાતો અને આકાંક્ષાઓ અમારી ટોચની પ્રાથમિકતા છે.


નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે, આપણો યુવા દેશ ઉચ્ચ આકાંક્ષાઓ ધરાવે છે, તેને તેના વર્તમાન પર ગર્વ છે અને તેને ઉજ્જવળ ભવિષ્ય માટે આશા અને વિશ્વાસ છે. અમે આશા રાખીએ છીએ કે લોકો અમારી સરકારને તેના ઉત્કૃષ્ટ કામના આધારે ફરીથી મજબૂત જનાદેશ આપશે.


નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાનું બજેટ ભાષણ શરૂ કરતા કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થામાં સકારાત્મક પરિવર્તન જોવા મળી રહ્યા છે. સબકા સાથ, સબકા વિકાસ સાથે સરકારે પડકારોને પાર કર્યા છે. માળખાકીય સુધારા કરવામાં આવ્યા, લોકો તરફી સુધારા કરવામાં આવ્યા. અર્થતંત્રને નવી ધાર મળી છે. દેશને નવી આશાનો સંચાર થયો છે. અમારા બીજા કાર્યકાળમાં સરકારે અર્થવ્યવસ્થાને બમણી કરી. દેશે મહામારી પર કાબુ મેળવ્યો, પંચ પ્રાણની પ્રતિજ્ઞા લીધી અને અમૃત કાલનો મજબૂત પાયો નાખ્યો છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…