ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને ઈરાનમાં ભારતીય યુવકોનું અપહરણ? દૂતાવાસે ઈરાનને કરી આવી અપીલ

નવી દિલ્હી: ઈરાનમાં ભારતના ત્રણ નાગરીકો ગુમ થવાની ઘટના બનતા ખડભડાટ મચી ગઈ છે. અહેવાલ મુજબ પંજાબના ત્રણ યુવકો 1 મેના રોજ ઈરાન પહોંચ્યા બાદ ગુમ થઇ ગયા હતાં.
પરિવાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે ત્રણેય યુવકોનું અપહરણ કરવામાં આવ્યું (Indian Citizens kidnapped in Iran) છે. ભારતીય દૂતાવાસે ઈરાની અધિકારીઓને યુવકોને શોધી કાઢવા અને તેમની સલામતીની ખતરી કરવા માટે અપીલ કરી છે.
આપણ વાંચો: દેવું ન ચૂકવનારા પિતાના સગીર પુત્રનું અપહરણ કરી 12 લાખની માગણી: બે પકડાયા
ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને અપહરણ?
અહેવાલ મુજબ પંજાબના ત્રણ યુવકોનું ઈરાનમાં અપહરણ કરવામાં આવ્યું છે. યુવકો સંગરુર, એસબીએસ નગર અને હોશિયારપુર જિલ્લાના રહેવાસી છે. અપહરણકરો યુવકોના પરિવાર પાસેથી કરોડો રૂપિયાની ખંડણી માંગી રહ્યા છે.
અહેવાલ મુજબ યુવાનોને વર્ક પરમિટ પર ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને દિલ્હીથી ઈરાન મોકલવામાં આવ્યા હતા, ત્યાર બાદ તેમનું અપહરણ કરવામાં આવ્યું.
આપણ વાંચો: બાંગ્લાદેશમાં હિંદુઓ પર નથી અટકી રહી હિંસા, હિંદુ અગ્રણીનું અપહરણ કરી માર મારીને હત્યા
યુવકોના પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, વીડિયો કોલમાં યુવાનો દોરડાથી બાંધેલા જોવા મળે છે. તેમના શરીર પર કટ્સના નિશાન છે અને તેમના ગળા પર છરી રાખેલી બતાવવામાં આવી છે. અપહરણકારો ક્યારેક 55 લાખ રૂપિયા, ક્યારેક 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી રહ્યા છે. તેમને વિદેશ મોકલનાર એજન્ટ પણ હાલ ફરાર છે.
યુવક હુસ્નપ્રીતની માતા બલવિંદર કૌરે સરકારને મદદ માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે તેમના દીકરાને ઓસ્ટ્રેલિયા મોકલવાના નામે છેતરપિંડી કરવામાં આવી હતી. તેમણે સરકારને તમામ યુવાનોને સુરક્ષિત રીતે પાછા લાવવાની અપીલ કરી.
આપણ વાંચો: લોન પાછી ન ચૂકવનારા દુકાનદારનું અપહરણ કરી ફટકાર્યો: પાંચ સામે ગુનો
ભારતીય દૂતાવાસે પગલાં ભર્યા:
X પર પોસ્ટ કરવામાં આવેલા એક નિવેદનમાં, ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે યુવકોને શોધી કાઢવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઈરાનને કહેવામાં આવ્યું છે. દૂતાવાસે જણાવ્યું હતું કે તેમણે આ મુદ્દો ઈરાની અધિકારીઓ સમક્ષ કડકરીતે ઉઠાવ્યો છે અને વિનંતી કરી છે કે ગુમ થયેલા ભારતીયોને તાત્કાલિક શોધી કાઢવામાં આવે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.
પોસ્ટમાં એમ્બસીએ જણાવ્યું, “અમે પરિવારના સભ્યોને દૂતાવાસ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે નિયમિતપણે અપડેટ આપી રહ્યા છીએ.”
ભારતીય દૂતાવાસે યુવકોનું અપહરણ થયું હોવાના દાવાની સત્તાવાર પુષ્ટિ કરી નથી.