નેશનલ

એરપોર્ટ કરતાં પણ વધુ સુંદર હશે દેશના આ રેલ્વે સ્ટેશન

જાણો તેમના નામ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક સાથે 500 રેલવે સ્ટેશનોને કાયાકલ્પ કરવા માટે અમૃત ભારત સ્ટેશન યોજનાનો શિલાન્યાસ કર્યો હતો. આ યોજના હેઠળ, આ યોજના માટે દેશભરના વિવિધ ઝોનમાં 500 સ્ટેશનોની પસંદગી કરવામાં આવી છે. જેમાં સ્ટેશન પર મુસાફરોની પહોંચ, ફરતા વિસ્તાર, વેઇટિંગ હોલ, શૌચાલય, જરૂરિયાત મુજબ લિફ્ટ/એસ્કેલેટર, સ્વચ્છતા, ફ્રી વાઇ-ફાઇ, સ્થાનિક ઉત્પાદનો માટે કિઓસ્ક જેવી સુવિધાઓ સુધારવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

રેલ્વે મંત્રાલયના જણાવ્યા અનુસાર, મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને તમામ સ્ટેશનોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. તમામ સ્ટેશનોમાં ન્યૂનતમ સુવિધાઓ નક્કી કરવામાં આવી છે, જેમાં લિફ્ટ, એસ્કેલેટર, વેઇટિંગ હોલનો સમાવેશ થાય છે. આમાં સૌથી વધુ બજેટ ધરાવતા ત્રણ સ્ટેશન છે, જે સૌથી મોટા અને ખાસ હશે. આ સ્ટેશનો પર દરરોજ લાખોની સંખ્યામાં મુસાફરોની અવરજવર રહે છે, જે છે દિલ્હી, સુરત અને મુંબઇનું સીએસએમટી (છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ)


નવી દિલ્હીઃ નવી દિલ્હીને દેશના સૌથી મોટા સ્ટેશન તરીકે વિકસાવવામાં આવશે. અહીં અંદાજે 4700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ સ્ટેશન પર દરરોજ લગભગ પાંચ લાખ મુસાફરોની અવરજવર રહે છે. કુલ 2.2 લાખ ચોરસ મીટર વિસ્તારની કાયાપલટ કરવામાં આવશે. શન પર આવતા મુસાફરો માટે આગમન અને પ્રસ્થાન માટે અલગ વ્યવસ્થા રહેશે. સ્ટેશન સંકુલમાં બે છ માળના સિગ્નેચર ડોમ બનાવવામાં આવશે. ગુંબજની ઊંચાઈ જમીનથી અનુક્રમે 80 મીટર અને 60 મીટર હશે.


સુરતઃ દિલ્હી સ્ટેશન પછી બીજા નંબરે સુરત સ્ટેશન આવશે. તેને મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, જે રેલવે, સિટી બસ ટર્મિનલ સ્ટેશન મેટ્રોની સિમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે. અંદાજે 2700 કરોડ રૂપિયાનો ખર્ચે આ સ્ટેશનને વિકસાવવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય સ્તરના બિઝનેસ સેન્ટર જેવો દેખાવ આપવામાં આવશે.


સીએસએમટીઃ મુંબઈનું CSMT રેલવે સ્ટેશનની પણ કાયાપલટ કરવામાં આવશે, જેમાં અંદાજે 2500 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. અહીં એરપોર્ટ જેવી તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…