ટોપ ન્યૂઝનેશનલ

ઓપરેશન સિંદૂરની સફળતા બાદ સરકારનો મોટો નિર્ણય: હવે ત્રણેય સેના માટે ISOના નિયમો લાગુ

નવી દિલ્હી: આ મહિનાની શરૂઆતમાં ભારતીય સશસ્ત્ર દળોએ ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધરીને પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ(PoK)માં આતંકવાદી ઠેકાણાંનો નાશ કર્યો હતો. આ દરમિયાન ભારતની ત્રણેય સેનાએ તાકાતનો પરચો આપ્યો હતો. હવે ત્રણેય સેનાઓને એકસાથે લાવવા માટે સરકારે મહત્વના નવા નિયમો લાગુ કર્યા છે. ઇન્ટર-સર્વિસિસ ઓર્ગેનાઇઝેશન (ISO) ના વડાઓને ત્રણેય સેનાઓને સૂચના આપવાનો અધિકાર મળ્યો છે, જેનાથી તેમની વચ્ચે સંકલન વધશે અને કામ ઝડપથી થશે.

ભવિષ્યમાં શરુ કરવામાં આવનાર જોઈન્ટ થિયેટર કમાન્ડ વધુ સારી રીતે કાર્ય કરી શકે એ માટે સરકારે આ નિર્ણય લીધો છે. આ ઉપરાંત ISO ના વડાઓને કોઈપણ સેનાના સૈનિકો સામે શિસ્તભંગના પગલાં લેવાનો પણ અધિકાર મળ્યો છે. અગાઉ, ISO ના વડાઓ પાસે આવી સત્તા ન હતી.

ISOનું કાર્ય સરળ બનશે:

અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારે સૂચના જાહેર કર્યા પછી, આ નિયમો અમલમાં આવી ગયા છે. આનાથી કેસોનો ઝડપી નિકાલ થશે અને એક જ કેસની વારંવાર તપાસ નહીં કરવી પડે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ એક મહત્વપૂર્ણ પગલું છે. આનાથી ઇન્ટર-સર્વિસિસ ઓર્ગેનાઇઝેશનના કાર્યમાં સુધારો થશે અને દળો વચ્ચે એકતા વધશે.

ઇન્ટર-સર્વિસિસ ઓર્ગેનાઇઝેશન બિલ 2023 ના ચોમાસુ સત્રમાં સંસદના બંને ગૃહોમાં પસાર થયું હતું. આ કયદો વર્ષ 2024 થી અમલ આવ્યો હતો. હવે નવા નિયમો કાયદાની કલમ 11 હેઠળ બનાવવામાં આવ્યા છે. આ નિયમો ISO ની કામગીરીને સરળ બનાવશે.

સરકાર એક જોઈન્ટ થિયેટર કમાન્ડ બનાવવાનું આયોજન કરી રહી છે, જેમાં આર્મી, એરફોર્સ અને નેવીના યુનિટ્સ સાથે મળીને કામ કરશે. બધા યુનિટ્સ એક જ લશ્કરી અધિકારીના નિયંત્રિત હેઠળ હશે.

અધિકારીઓ કરી શકશે કાર્યવાહી:

અગાઉ કોઈ અધિકારીને બીજા વિભાગના સૈનિક સામે કાર્યવાહી કરવાનો અધિકાર નહતો. ઉદાહરણ તરીકે, જો કોઈ આર્મી સૈનિક નૌકાદળના અધિકારી હેઠળ હોય, જો તેની સામે શિસ્તભંગની કાર્યવાહી કરાવી હોય યો તેના યુનિટમાં પાછો મોકલવામાં આવતો હતો. નૌકાદળના અધિકારીને સૈનિક પર કોઈ વહીવટી અધિકાર નહોતો.

આ પણ વાંચો….આઇપીએલ ફાઇનલમાં ‘ઓપરેશન સિંદૂર’ના વીરોને સલામી: ત્રણેય સેનાના વડાઓને આમંત્રણ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button