30 હાજર કરોડમાં ભારતને મળશે સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ

ભારતીય સેના ટૂંક સમયમાં સ્વદેશી ક્વિક રિએક્શન સરફેસ-ટુ-એર મિસાઇલ (QRSAM) સિસ્ટમથી સજ્જ થશે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રક્ષા મંત્રાલયે આ એર ડિફેન્સ સિસ્ટમ ચીન અને પાકિસ્તાનની સરહદો પર તૈનાત કરવા માટે ત્રણ રેજિમેન્ટ ખરીદવાની યોજના ઘડી રહ્યું છે, જેની કિંમત આશરે 30,000 કરોડ રૂપિયા હશે. આ સિસ્ટમ દિવસ-રાત કાર્યરત રહી શકે છે અને તેનું DRDO દ્વારા સફળ પરીક્ષણ થયું છે, જે ભારતની સંરક્ષણ ક્ષમતામાં વધારો કરશે.
QRSAM સિસ્ટમ ભારતીય સેનાની એર ડિફેન્સ પ્રણાલીનો ભાગ બનશે, જે ખાસ કરીને પશ્ચિમ અને ઉત્તરીય સરહદો પર તૈનાત થશે. જૂનના ચોથા અઠવાડિયામાં રક્ષા મંત્રાલયની બેઠકમાં આ ડીલને મંજૂરી મળવાની શક્યતાઓ સેવાય રહી છે. DRDO દ્વારા વિકસિત આ સિસ્ટમ પોર્ટેબલ છે, જે એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી ખસેડી શકાય છે. આ મિસાઇલ સિસ્ટમનું સફળ પરીક્ષણ થયું છે, જે દિવસ-રાત ઝડપી કાર્યવાહી કરવામાં સક્ષમ છે, જેનાથી શત્રુના હવાઈ હુમલાઓ સામે મજબૂત રક્ષણ મળશે.
થોડા સમય પહેલા ભારત અને પાકિસ્તાનમાં સરહદી વિસ્તારમાં તણાવ જોવા મળ્યો હતો. એ સમયે ભારતની એર ડિફેન્સ સિસ્ટમે દુશ્મન દેશના તમામ હુમલાને નિષ્ફળ બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, L-70, Zu-23 ગન, સ્પાઇડર, અને S-400 સુદર્શન સિસ્ટમોએ તેને નિષ્ફળ કર્યા. ભવિષ્યમાં ડ્રોન ખતરાઓનો સામનો કરવા ભારત નવી રડાર, ટૂંકા અંતરની મિસાઇલો, જેમર, અને લેસર સિસ્ટમથી સજ્જ થશે, જે ચીન અને તુર્કીયે જેવા દેશોના હવાઈ જોખમો સામે રક્ષણ આપશે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય સેનાને ટૂંક સમયમાં નવી રડાર મશીનો, ટૂંકા અંતરની મિસાઇલો, જેમર અને લેસર સિસ્ટમ મળશે, જેથી તુર્કી અને ચીન જેવા દેશોમાંથી આવતા ડ્રોન ખતરાઓનો સરળતાથી સામનો કરી શકાય.
આ પણ વાંચો…ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને ભારે નુકસાન, ચીને માન્યું બ્રહ્મોસ સામે એર ડિફેન્સ સિસ્ટમ ફેલ