નેશનલ

ભારત વિશ્વ કલ્યાણ માટે મહાસત્તા બનશે, 2047 સુધીમાં સુપર પાવર બનશેઃ રાજનાથ સિંહ

લખનઉ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે લખનઉ કહ્યું કે વર્ષ 2047 સુધીમાં ભારતને માત્ર વિકસિત દેશ જ નહીં પરંતુ સુપર પાવર પણ બનાવવો છે. મહાસત્તા કોઈ દેશ પર હુમલો કરવા કે કોઈ પણ દેશને કબજે કરવા માટે નથી, પરંતુ વિશ્વના કલ્યાણ માટે બનાવવાની છે. સંરક્ષણ મંત્રી સોમવારે નિરાલા નગર સ્થિત માધવ ઓડિટોરિયમમાં સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં આયોજિત સમરસતા સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વિશ્વમાં ભારતનું કદ ઘણું ઊંચું થયું છે. આ અગાઉ વિશ્વના મંચ પર ભારતના વિચારોને ગંભીરતાથી સાંભળવામાં આવતા ન હતા. પરંતુ આજે જ્યારે ભારત આંતરરાષ્ટ્રીય મંચો પર કંઈક બોલે છે ત્યારે આખી દુનિયા ભારત જે કહે છે તે ગંભીરતાથી સાંભળે છે.

ભારત 2027 સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે

રક્ષા મંત્રીએ કહ્યું કે 2014 પહેલા ભારત અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ વિશ્વમાં 11મા સ્થાને હતું. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની અર્થવ્યવસ્થા આજે વિશ્વમાં પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. ભારત જે ઝડપે વિકાસ કરી રહ્યું છે તેના લીધે ભારત વર્ષ 2027 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.

10 વર્ષમાં ગરીબી નાબૂદ કરાશે

રક્ષા મંત્રીએ ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, સ્વતંત્ર ભારતમાં તમામ સરકારોએ દેશમાંથી ગરીબી નાબૂદ કરવાની વાત કરી. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના 25 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા. અમારો સંકલ્પ છે કે અમે આવનારા 10 વર્ષમાં ભારતમાંથી ગરીબીને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે કામ કરીશું. રક્ષા મંત્રીએ કહ્યું કે દેશની જનતાનું સમર્થન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છે.આથી આપણે ચૂંટણી વખતે ઉમેદવારો જોવાના નથી, પરંતુ નરેન્દ્ર મોદીને એકવાર વડાપ્રધાન બનાવીએ. આ માટે 100 ટકા મતદાન કરવાનું રહેશે. રક્ષા મંત્રીએ કહ્યું કે 20 મેના રોજ એવો એક પણ મતદાર બાકી ના રહે જે તેના મતદાન મથકે ન પહોંચે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…