ટોપ ન્યૂઝનેશનલ

આ વખતે વસ્તી ગણતરીમાં આ નવા પ્રશ્નો પૂછવામાં આવશે! કયું અનાજ ખાઓ છો તે પણ કહેવું પડશે…

નવી દિલ્હીઃ ભારતમાં વસ્તી ગણતરીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. મોટા ભાગના લોકો જાણતા હશે કે વસ્તી ગણતરી કરવામાં આવે જે તમારા ઘરે આવે છે તે કેવા સવાલો કરે છે! પરંતુ હવે આમાં થોડા સુધાર કરવામાં આવ્યો અને નવા પ્રશ્નો ઉમેરવામાં આવ્યાં છે. આ પ્રશ્નો તમારા વ્યક્તિગત જીવનશૈલી માટે હશે. જેથી તમે કેટલા આધુનિક છો તેની જાણ થઈ શકશે. જેમ કે, તમે કયો ફોન વાપરો છો? તમારા ઘરે ઇન્ટરનેટ કનેક્શન છે કે નહીં? પાણી કેવી રીતે આવે છે? ગેસનું કનેક્શન છે કે નહીં? ઘરમાં કેટલા વાહનો છે? અને તમે ઘરે કેવા પ્રકારનું અનાજ ખાઓ છો? વગેરે સવાલો વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવશે.

દેશભરમાંથી વસ્તી ગણતરીના આ વિશાળ કાર્ય લગભગ 34 લાખ ગણતરીકારો અને સુપરવાઇઝર અને ડિજિટલ સાધનોથી સજ્જ લગભગ 1.3 લાખ વસ્તી ગણતરી કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે. સરકાર આ માટે 13 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરે તેવી શક્યતા છે. આ વખતે સ્વતંત્રતા પછીની પ્રથમ વસ્તી ગણતરીની સાથે જાતિ વસ્તી ગણતરી પણ કરવામાં આવશે. સ્વતંત્રતા પછી કરવામાં આવતી તમામ વસ્તી ગણતરીના કાર્યમાંથી જાતિને બાકાત રાખવામાં આવી હતી. ચાલો વસ્તી ગણતરી દરમિયાન ક્યાં પ્રશ્નો પૂછવામાં આવશે તેવી ચર્ચા કરીએ…

ઘરમાં ઈન્ટરનેટ કનેક્શન છે કે નહીં?
આ પ્રશ્ને દ્વારા તમે આધુનિક રીતે ડિજિટલથી જોડાયેલા છો કે કેમ તે જાણી શકાશે. સરકાર જાણવા માંગે છે કે કેટલા ઘરોમાં ઇન્ટરનેટ કનેક્શન છે અને કેટલા ઉપકરણો તેનો ઉપયોગ કરી રહ્યા છે. આ ડેટા ડિજિટલ ઇન્ડિયા પહેલની પ્રગતિને માપવામાં અને ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ડિજિટલ વિભાજનને સમજવામાં મદદ કરશે.

ઘરમાં કેવા પ્રકારનું અનાજ ખાવામાં આવે છે?
ખાદ્ય સુરક્ષા અને પોષણની સ્થિતિને સમજવા માટે આ પ્રશ્ન પૂછવામાં આવશે. સરકાર જાણવા માંગે છે કે ઘરોમાં મુખ્યત્વે ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, રાગી કે અન્ય અનાજનો વપરાશ થાય છે કે નહીં? આ ડેટા બાજરીના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને ખાદ્ય નીતિઓમાં સુધારો કરવામાં મદદ કરશે.

મોબાઇલ ફોન કે સ્માર્ટફોન કોની પાસે છે?
અત્યારે દરેક ઘરમાં મોટા ભાગે 2થી વધારે ફોન તો હોય જ છે. જેથી પ્રશ્નમાં પરિવારમાં કેટલા મોબાઇલ ફોન અને સ્માર્ટફોન છે અને તે કોની પાસે છે? તેની જાણકારી મેળવી શકાશે. સ્માર્ટ ફોન શિક્ષણ, નાણાકીય સમાવેશ અને ડિજિટલ સેવાઓના ઉપયોગમાં મહત્વપૂર્ણ છે, તેના કારણે આ ડેટા જાણવામાં આવી શકે છે.

ઘરે વાહન કેટલા છે અને કયા કયા છે?
આ પ્રશ્નના આધારે સરકાર એ જાણવા માંગે છે કે, તમારા ઘરે કેટલા વાહનો છે. જેમ કે સાયકલ, સ્કૂટર, બાઈક, કાર, જીપ કે પછી વાન આમાંથી ક્યું સાધન તમારા ઘરે છે.

તમારા ઘરે કેવા પ્રકારનું ગેસ કનેક્શન છે?
આ પ્રશ્ન દ્વારા એવું પૂછવામાં આવશે કે તમે ઘરે રસોઈ માટે કયા પ્રકારનું બળતણ વાપરો છે – LPG, PNG, લાકડું, ગાયના છાણના ખોળિયા કે અન્ય. આ સ્વચ્છ ઉર્જા અને ઉજ્જવલા યોજના જેવા કાર્યક્રમોની સફળતાને સમજવામાં મદદ કરશે.

ઘરે પાણી ક્યાંથી અને કેવી આવે છે?
મોટાભાગના લોકોના ઘરે પાણીનું કનેક્શન જોવા મળતું હયું છે. કારણ કે, પીવાના પાણીનો સ્ત્રોત એ એક મહત્વપૂર્ણ આરોગ્ય અને સ્વચ્છતા સૂચક છે. જેથી સરકાર જાણવા માંગે છે કે, તમે પાણી માટે કુવા, હેન્ડપંપ, નળ, બોટલબંધ પાણી કે અન્ય સ્ત્રોતોમાં શેનો ઉપયોગ કરો છે. આ જળ જીવન મિશન જેવી યોજનાઓની પ્રગતિ માપવામાં મદદરૂપ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button