પાકિસ્તાનનું કબુલનામું: ભારતે 9 નહીં, આટલા સ્થળોએ હુમલા કર્યા હતાં

નવી દિલ્હી: ભારતીય સશસ્ત્ર દળો 7મેના રોજ ઓપરેશન સિંદૂર(Operation Sindoor) હાથ ધરીને પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર(PoK)માં આવેલા આતંકવાદી ઠેકાણાંનો નાશ કર્યો હતો.
આ ઓપરેશન અંગે ભારતીય સશસ્ત્ર દળોએ માહિતી આપતા જાણાવ્યું હતું કે કુલ 9 સ્થળોએ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 100 જેટલા આતંકવાદી માર્યા ગયાં હતાં. પરંતુ હવે ખુદ પાકિસ્તાને એવો દાવો કર્યો છે કે ભારતે 9 કરતા વધુ સ્થળોએ સ્થળો હુમલો કર્યો હતો.
આપણ વાંચો: ભારતના ઓપરેશન સિંદૂરની યાદમાં ભુજમાં ૮ હેકટર જમીન પર આકાર પામશે ‘સિંદૂર વન મેમોરિયલ પાર્ક’
એક અહેવાલ મુજબ પાકિસ્તાન દ્વારા બહાર પાડવામાં આવેલા એક ડોઝિયરમાં જણાવવામાં આવ્યું છે કે ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન ઘણા વધુ સ્થળોએ હુમલો કર્યો હતો, જેના વિષે અગાઉ ભારતીય સંરક્ષણ અધિકારીઓ એના વિષે માહિતી આપી ન હતી.
ભારતીય સેના એ દાવો કર્યો હતો કે હાવલપુર, મુરીદકે, મુઝફ્ફરાબાદ, કોટલી, રાવલકોટ, ચકસ્વરી ભિમ્બર, નીલમ ખીણ, જેલમ, ચકવાલમાં હુમલા કરવામાં આવ્યા હતાં.
આપણ વાંચો: શાંગરી-લા સંવાદમાં ભારતે પાકિસ્તાન પર પ્રહાર કર્યા, કહ્યું ઓપરેશન સિંદૂર એક બોધપાઠ
ભારતે આ સ્થળોને પણ નિશાન બનાવ્યા:
18 મેના રોજ પાકિસ્તાને કેટલાક દેશોને સોંપેલા ડોઝિયરમાં જ ખુલાસો કરવામાં આવ્યો કે ભારતે પાકિસ્તાનને ઘણું વધુ નુકસાન પહોંચાડ્યું છે. પાકિસ્તાને રજુ કરેલા ડોઝિયરમાં જણાવવામાં આવ્યું છે કે પેશાવર, અટોક, ગુજરાત, ઝાંગ, બહાવલનગર, હૈદરાબાદ, છોર જેવા મુખ્ય શહેરો પર પણ ભારતીય સશસ્ત્ર દળોએ હુમલા કર્યા હતાં.
ડોઝિયરમાં આ સ્થળોને પીન કરીને નકશા રાજુ કારવામાં આવ્યા છે. પેશાવર અને અટોક જેવા કેટલાક સ્થળો LoCથી 1,000 કિમી અને 700 કિમી દૂર છે, મતલબ કે ભારતે પાકિસ્તાનના અંદરના સ્થળો સુધી એર સ્ટ્રાઈક કરી હતી.
આપણ વાંચો: ‘ઓપરેશન સિંદૂર’ પર સુંદર નિબંધ લખો અને મેળવો ઇનામઃ સંરક્ષણ મંત્રાલયની જાહેરાત
પાકિસ્તાને માહિતી જેહેર કેમ કરી?
પાકિસ્તાનનો ઉદ્દેશ્ય વૈશ્વિક સમુદાય સમક્ષ એવું ચિત્ર રજુ કરવાનો હોઈ શકે છે કે ભારતે પાકિસ્તાનની અંદર નાગરિક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. જોકે, ડોઝિયરમાં એ ઉલ્લેખ નથી હુમલા નાગરિક વિસ્તારો પર થયા હતા કે લશ્કરી સ્થળો પર થયા હતાં.
ડોઝિયરમાં ખાસ જણાવાયું છે કે ફક્ત ચાર એરબેઝને નિશાન બનાવવામાં આવ્યા હતા – મુરીદ, રફીકી, મસરૂર અને સમુંગલી.
હાઈ-રિઝોલ્યુશન કમર્શિયલ સેટેલાઈટ ઈમેજમાં ભારત દ્વારા હુમલો કરાયેલા 11 લશ્કરી સ્થળોને નુકસાન થયું હોવાનું દર્શાવવામાં આવ્યું છે, જેમાં નૂર ખાન, રફીકી, મુરીદ, સુક્કુર, પરુર, ચુનિયાન, સરગોધા, રહીમ યાર ખાન, ભોલારી, જેકોબાબાદ અને ગુજરાંવાલાનો સમાવેશ થાય છે.
આપણ વાંચો: સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંહની જેમ આ જાંબાઝ મહિલાએ ઓપરેશન સિંદૂરમાં ભજવી હતી મહત્ત્વની ભૂમિકા
આ લશકરી સ્થળો પર હુમલો:
ભારતે લાહોરમાં એક રડાર સાઇટ પર પણ હુમલો કર્યો, જેમાં પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમનો પણ નાશ કર્યો હતો. કરાચીમાં માલીર કેન્ટોનમેન્ટ ખાતે મિસાઇલ સાઇટને નિશાન બનાવવામાં આવી. માલીર કેન્ટ મુખ્ય કરાચી શહેરથી લગભગ 35 કિમી દૂર આવલો એક લશ્કરી મથક છે.
ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન લગભગ 35-40 પાકિસ્તાની લશ્કરી કર્મચારીઓ માર્યા ગયા હતા.