નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને મળી INDI ગઠબંધનની બેઠક : શું લેવાયા નિર્ણયો ?

નવી દિલ્હી : આજે લોકસભા ચૂંટણીના મતદાન માટેનો અંતિમ દિવસ (7th phase of Lok Sabha elections) છે. આજે દેશની 57 લોકસભા બેઠક પર મતદાન થયું હતું. ત્યારે આજે દિલ્હીમાં મલ્લિકાર્જુન ખડગેના અધ્યક્ષસ્થાને ઇન્ડી ગઠબંધનની (INDI Alliance) બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત એનસીપી સીપીઆઇ, સહિત નેતાઓ હાજર રહ્યા હતા. જોકે આ બેઠકમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ગેરહાજર રહ્યા હતા.

વિપક્ષી ગઠબંધન દ્વારા બોલાવવામાં આવેલી આજની મિટિંગમાં એનસીપી નેતા શરદ પવાર, સીપીઆઇ નેતા રાજા, ઝારખંડના મુખ્યમંત્રી ચંપઈ સોરેન, પંજાબ મુખ્યપ્રધાન ભગવંત માન, સપાથી અખિલેશ યાદવ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. જો કે આ બેઠકમાં ટીએમસી નેતા અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ગેરહાજર રહ્યા હતા.

આ પણ વાંચો: યુપીના શ્રાવસ્તીમાં PM મોદીએ INDI ગઠબંધન પર કર્યા પ્રહાર, જાણો ભાષણની 10 મોટી વાતો

આજની મિટિંગ બોલાવવાનું કારણ ચૂંટણીમાં ઇન્ડી ગઠબંધનના પ્રદર્શનને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સાથે જ આગામી પરિણામના દિવસોને લઈને રણનીતિને લઈને વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. આજ સાંજે જાહેર થનાર એક્ઝિટ પોલને લઈને તેની ચર્ચામાં ગઠબંધનના નેતાઓ સામેલ થશે નહીં.

આજની મિટિંગ બોલાવવાનું કારણ ચૂંટણીમાં ઇન્ડી ગઠબંધનના પ્રદર્શનને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સાથે જ આગામી પરિણામના દિવસોને લઈને રણનીતિને લઈને વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. ગઠબંધન દ્વારા આજે બપોર સુધીમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે આજ સાંજે જાહેર થનાર એક્ઝિટ પોલને લઈને તેની ચર્ચામાં ગઠબંધનના નેતાઓ સામેલ થશે નહીં. પરંતુ સાંજે તેમણે નક્કી કર્યું હતું કે ગઠબંધન જાહેર થનાર એક્ઝિટ પોલની ચર્ચાઓને લઈને હવે તેઓ ભાગ લેવાના છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker