નેશનલમહારાષ્ટ્ર

દિલ્હીમાં વિપક્ષની રેલીમાં પવારે ભાજપ પર સાધ્યું નિશાન, એ કાર્યવાહી બંધારણ વિરોધી

નવી દિલ્હીઃ એક્સાઇઝ પોલિસી કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ તાબામાં લીધા છે અને અદાલતે પણ તેમને રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે ત્યારે મહારાષ્ટ્રમાં કેજરીવાલની ધરપકડના પડઘા પડી રહ્યા છે. પાટનગરમાં લોકતંત્ર બચાવો રેલીમાં એનસીપીના વરિષ્ઠ નેતા શરદ પવારે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી.

વિપક્ષના ‘I.N.D.I.A.’ ગઠબંધન દ્વારા યોજવામાં આવેલી ‘લોકતંત્ર બચાવો રેલી’માં શરદ પવાર જૂથની એનસીપીના વડા શરદ પવારે કેજરીવાલની ધરપકડનો ઉલ્લેખ કર્યો હતો અને ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા.

આપણ વાંચો: MVAમાં તિરાડઃ કૉંગ્રેસને હાંસિયામાં ધકેલી ઉદ્ધવ અને શરદ પવારે હાથ મિલાવ્યા?

દિલ્હીના રામલીલા મેદાનમાં યોજવામાં આવેલી રેલીમાં શરદ પવારે કેજરીવાલની થયેલી ધરપકડનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે દિલ્હીના સીટિંગ ચીફ મિનિસ્ટર સાથે જે કરવામાં આવ્યું છે તે બંધારણ સાથે રમત સમાન છે. આ કેન્દ્ર સરકારે દિલ્હીના સીટિંગ ચીફ મિનિસ્ટર, ઝારખંડના ચીફ મિનિસ્ટરને જેલભેગા કરી દીધા છે અને અલગ અલગ રાજ્યોના નેતાઓને પણ જેલમાં નાંખી દીધા છે.

આ કાર્યવાહી બંધારણ અને લોકશાહીની વિરુદ્ધ છે. બંધારણ અને લોકશાહીને બચાવવું એ આપણી જવાબદારી છે. દિલ્હી અને ઝારખંડના મુખ્ય પ્રધાનો ઉપર કરવામાં આવેલી આ કાર્યવાહી એ દેશની લોકશાહી ઉપર અને દેશના બંધારણ ઉપર એક જબરજસ્ત પ્રહાર છે.

ભાજપે પણ રામલીલા મેદાનમાં યોજવામાં આવેલી રેલી ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે ‘I.N.D.I.A.’ ગઠબંધન દ્વારા રામલીલા મેદાનમાં યોજવામાં આવેલી રેલી એ ‘લોકતંત્ર બચાવો’ રેલી નહીં, પરંતુ ‘પરિવાર બચાવો’ અને ‘ભ્રષ્ટાચાર બચાવો’ રેલી છે. વિપક્ષ દ્વારા વડા પ્રધાન ઉપર ભ્રષ્ટાચારીઓને જેલભેગા કરવા બદલ તેમના ઉપર ખોટી કાર્યવાહી કરવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો હોવાનું ભાજપે જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme Astrology marriage dates warning