નેશનલ

મને ખબર છે કે મારી દીકરી શું કરી શકે છે? સોનમના પિતાએ આપ્યું ચોંકાવનારૂ નિવેદન

સોનમના પિતા દેવી સિંહે શિલોંગ પોલીસની કહાણી પર સવાલ ઉઠાવતા કહ્યું - મેઘાલય પોલીસ ગુંડાઓ સાથે મળેલી છે

ઇન્દોરઃ રાજા રઘુવંશીની હત્યા થઈ તે કેસમાં અનેક નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. રાજાના ભાઈ વિપિન રઘુવંશી અને માતાના નિવેદન બાદ હવે સોનમ રઘુવંશીના પિતા દેવી સિંહનું નિવેદન બહાર આવ્યું છે. મીડિયા સાથે વાત કરતા પિતા દેવી સિંહ સાથે વાત કરતા પોલીસ પર જ આરોપ લગાવ્યો છે. મહત્વની વાત એ પણ છે કે, રાજાના ભાઈએ પણ પોલીસ પર આરોપ લગાવ્યો છે કે, પોલીસ તેમને પીએમ રિપોર્ટ પણ નથી આપતી અને એસપી ફોન પણ ઉપાડતા નથી. જેથી હવે પોલીસ પર શંકાઓ જવા લાગી છે.

મારી દીકરીને પોલીસ અને ગુંડાઓ મળીને ફસાવી રહ્યા છેઃ સોનમના પિતા

સોનમના પિતાએ એવો દાવો કર્યો છે કે સોનમ નિર્દોષ છે અને પોલીસ કહાણી બનાવીને તેને ફસાવી રહી છે. તેમની પુત્રી ક્યારેય આવું કંઈ કરી શકે નહીં. તેઓ એમ પણ કહે છે કે મેઘાલય પોલીસ ગુંડાઓ સાથે મળેલી છે’. પિતાનું કહેવું છે કે, તેમની પુત્રી નિર્દોષ છે અને પોલીસ અને ગુંડાઓ મળીને તેને ફસાવી રહ્યા છે. સોનમના પિતાનો દાવો છે કે આ કેસનું સત્ય કંઈક બીજું છે. શિલોંગ પોલીસે સમગ્ર કહાણી ફક્ત ઘટનાઓને તોડી-મરોડીને રજૂ કરી રહી છે. પોલીસ પાસે જે પુરાવા છે તે માત્ર એકતરફી છે. હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આખરે કોણે રાજા રઘુવંશીની હત્યા કરી? આ કેસમાં મુખ્ય આરોપી કે હત્યારો કોણ છે?

સીબીઆઈ તપાસ થશે તો સમગ્ર સત્ય બહાર આવશેઃ પિતા દેવી સિંહ

પિતા દેવી સિંહે પોલીસ પર અધૂરી કાર્યવાહીના આરોપ મુક્યાં છે. કહ્યું કે, જો આ કેસમાં સીબીઆઈ તપાસ થશે તો સમગ્ર સત્ય બહાર આવશે. આ પછી મેઘાલયના આખા પોલીસ સ્ટેશનને સસ્પેન્ડ કરવામાં આવશે. સોનમના પિતાએ કહ્યું કે જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી હું આ કેસ બંધ નહીં કરું અને આરોપીઓને જેલમાં મોકલીશ. જ્યાં સુધી આરોપી અધિકારીઓ જેલમાં નથી ત્યાં સુધી હું આરામ નહીં કરું. મને મારી દીકરી પર 100 ટકા વિશ્વાસ છે. મને ખબર છે કે મારી પુત્રી શું કરી શકે છે? મને ખબર છે, તે ક્યારેય આવું કામ કરશે નહીં.

હું અત્યારે દુઃખી છું કારણ કે મારી પુત્રી મુશ્કેલીમાં છેઃ માતા સંગીતા

આ સાથે સાથે સોનમની માતાનું પણ નિવેદન પ્રકાશમાં આવ્યું છે. સોનમની માતા સંગીતાએ કહ્યું કે, આભાર મારી દીકરી મળી ગઈ છે. શું સત્ય છે તે તપાસ થયા બાદ જ જાણવા મળશે. વધુમાં કહ્યું કે, હું અત્યારે દુઃખી છું કારણ કે મારી પુત્રી મુશ્કેલીમાં છે. હજી રાજાના ખૂનીને પણ શોધવાનો છે. એટલું જ નહીં પરંતુ પોલીસને આ દિશામાં સાચી તપાસ કરવા માટે પણ કહ્યું છે.

આ પણ વાંચો….સીબીઆઈ કરશે રાજા રઘુવંશી મર્ડર કેસની તપાસ, મોહન યાદવે ગૃહ પ્રધાન અમિત શાહને કરી અપીલ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button