કેદારનાથની યાત્રામાં વરસાદ બન્યો વિઘ્ન, ભૂસ્ખલન થતા એકનું મોત, યાત્રા સ્થગિત કરાઈ

રૂદ્રપ્રયાગઃ કેદારનાથમાં આજે સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું જેમાં 7 લોકોના મોત થયાં હતા. એટલું જ નહીં પરંતુ અત્યારે કેદાર ખીણમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ચાલીને કેદારનાથની દર્શને જતા શ્રદ્ધાળુઓને વરસાદ નડી રહ્યો છે. વરસાદી પાણીના કારણે ઉપરથી મોટી માત્રમાં કાટમાળ નીચે પડી રહ્યો છે.
જેથી માર્ગ આંશિક રીતે બંધ થઈ ગયો છે. એટલું જ નહીં પરંતુ ઉપરથી સ્લેબ પડતા એક શ્રદ્ધાળુનો મોત થયું છે, જ્યારે બે શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આપણ વાંચો: કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ: પિતા બન્યાના 6 મહિનામાં પાયલટનું મૃત્યુ, કોણ છે?
સોનપ્રયાગથી કેદારનાથ ધામની યાત્રા સ્થગિત રાખવા આદેશ
વરસાદ ભક્તો માટે અત્યારે નડતર રૂપ બન્યો છે. તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે સોનપ્રયાગથી કેદારનાથ ધામની યાત્રા આગામી આદેશ સુધી મુલતવી રાખવામાં આવી છે.
જેથી બાબા કેદારનાથના દર્શન કરવા આવતા મોટી સંખ્યામાં ભક્તોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભક્તો રસ્તામાં અટવાઈ ગયાં છે. જો કે, આ નિર્ણય ભક્તોની સલામતી અને સુરક્ષા માટે લેવામાં આવ્યો છે. કેદાર ખીણમાં અત્યારે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
આપણ વાંચો: કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ બાદ ચારધામ યાત્રામાં હેલિકોપ્ટર સેવા પર પ્રતિબંધ
19 કિમીના યાત્રારૂટને આંશિક રીતે બંધ કરવામાં આવ્યો
ભારે વરસાદના કારણે કેદારનાથની યાત્રામાં બાધા આવી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગૌરીકુંડથી કેદારનાથ સુધીની જે 19 કિમીના પદયાત્રાનો રસ્તો જંગલચટ્ટી થઈને પસાર થયા છે, અને આ વિસ્તારમાં અત્યારે મુશળધાર વરસાદ પડી રહ્યો છે.
જેથી વરસાદને કારણે કેદારનાથ ધામ તરફ જતો ચાલવાનો રસ્તો આંશિક રીતે બંધ કરી દેવામાં આવ્યો છે. દુઃખની વાત છે કે, વરસાદના કારણે કેદાર ખીમમાં જે સ્લેબ નીચે પડ્યો તેના કારણે એક શ્રદ્ધાળુનું મોત થયું છે. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આગામી 1 અઠવાડિયા સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું
જ્યાં સુધી તંત્ર દ્વારા નવો આદેશ જાહેર કરવામાં ના આવે ત્યાં સુધી આ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે. વરસાદી મોસમના કારણે હવામાન વિભાગ દ્વારા આગામી એક અઠવાડિયા સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી એક અઠવાડિયા સુધી આ વિસ્તારમાં ભારે વરસાદ ખાબકી શકે છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, જંગલચટ્ટી ક્ષેત્રમાં ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારમાં ફસાયેલા મુસાફરોને પોલીસ સુરક્ષા હેઠળ નીચે મોકલવામાં આવી રહ્યા છે.