નેશનલ

Train Miss થઈ ગઈ છે? શું એ જ ટિકિટ પર બીજી ટ્રેનમાં મુસાફરી કરી શકો કે પછી…

Indian Railwayએ દુનિયાનું ચોથા નંબરનું વિશાલ નેટવર્ક છે અને દરરોજ દોડાવવામાં આવતી લાખો ટ્રેનમાં કરોડો ટ્રેનમાં પ્રવાસ કરે છે. આપણામાંથી ઘણા લોકો સાથે એવું બન્યું હશે કે મોડા પડવાને કારણે ટ્રેન પણ છૂટી ગઈ હશે. હવે આવા સંજોગોમાં એવો સવાલ થાય એ સ્વાભાવિક છે કે જો ટ્રેન છૂટી જાય છે તો પછી એ જ ટ્રેનની ટિકિટ પર બીજી ટ્રેનમાં પ્રવાસ કરી શકાય કે પછી એ ટિકિટના પૈસા રિફંડ મળે છે? કે નવી ટિકિટ ખરીદવી પડશે… જો તમને પણ આવા જ સવાલ સતાવી રહ્યા છે તો આજે અમે તમને અહીં તમારી આ સમસ્યાનો ઉકેલ લઈને આવ્યા છીએ…

તમારી જાણ માટે કે જો તમે પણ આ રીતે કોઈ દિવસ ટ્રેન ચૂકી જાવ છો તો તમે એ જ ટિકિટ પર બીજી ટ્રેનમાં પ્રવાસ કરી શકશો કે નહીં એ સંપૂર્ણપણે તમારી પાસે કયા ક્લાસની ટિકિટ છે એના પર આધાર રાખે છે. ઈન્ડિયન રેલવે માત્રને માત્ર એ જ ટ્રેન અને વર્ગ માટે માન્ય માનવામાં આવે છે એટલે કે સ્પેશિયલ ટ્રેનનો ઉપયોગ કરીને તમે બીજી કોઈ પણ ટ્રેનમાં પ્રવાસ ના કરી શકો.

તમારી જાણ માટે કે ‘તત્કાલ’ ટિકિટ અને ‘પ્રીમિયમ તત્કાલ’ ટિકિટ ધરાવનારા પ્રવાસીઓ જ અમુક શરતોને ધ્યાનમાં લઈને તે જ દિવસે બીજી ટ્રેનમાં ચઢવાની મંજૂરી આપવામાં આવે છે. જો તમારી પાસે નોર્મલ ટિકિટ છે, તો પછી પ્રથમ ટ્રેન ચૂકી ગયા પછી (પહેલી ટ્રેન ચૂકી ગયા પછી શું કરવું), તમે તે જ ટિકિટ સાથે આગામી પેસેન્જર ટ્રેનમાં મુસાફરી કરી શકો છો.

જો તમે સામાન્ય રીતે ટિકિટ બુક કરી છે, એટલે કે તત્કાલ અથવા પ્રીમિયમ તત્કાલ ટિકિટ નહીં અને બીજી ટ્રેનમાં ચડ્યા છો, તો તમને ટિકિટ વિનાના પેસેન્જર તરીકે ગણવામાં આવશે. જો TTE તમને પકડે છે, તો તમારે દંડ ચૂકવવો પડી શકે છે (ટિકિટ પે દંડ વિના) જો તમારે મુસાફરી કરવી હોય તો તમારે બીજી રિઝર્વ ટિકિટ બુક કરવી પડશે.

એક રેલવે વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર જો તમે જે ટ્રેનમાં મુસાફરી કરવાના છો તે ટ્રેન ચૂકી જાવ છો આવી પરિસ્થિતિમાં તમને ટિકિટના પૈસા પાછા મળી શકે છે. રિફંડ મેળવવા માટે ટિકિટ કેન્સલ કરવાની જરૂર નથી. આ માટે તમારે TDR ભરવાનો રહેશે.

ટ્રેન ચૂકી જવાના કિસ્સામાં, તમે ચાર્ટિંગ સ્ટેશનથી ટ્રેન ઉપડવાના એક કલાકની અંદર જ TDR ફાઇલ કરી શકો છો. રેલવેના નિયમો અને શરતો અનુસાર તમને રિફંડ આપવામાં આવશે. તમારે મુસાફરી ન કરવા માટેના કારણો પણ આપવા પડશે. મહત્ત્વની અને ધ્યાનમાં રાખવાની વાત તો એ છે કે જો તમે ચાર્ટ તૈયાર થયા પછી ટિકિટ કેન્સલ કરશો તો તમને કોઈ પણ પ્રકારનું રિફંડ નહીં આપવામાં આવે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…