નેશનલ

મહારાષ્ટ્રના રાજકારણમાં શરૂ થયો રૂમાલ વિવાદ! ભરત ગોગાવલે અને સુનીલ તટકરે આકરા પાણીએ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં અત્યારે રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. અહીં પ્રધાન ભરત ગોગાવલે અને એનસીપી નેતા સુનીલ તટકરે વચ્ચે ચાલી રહેલા રાજકીય વિવાદે નવો વળાંક લીધો છે. બંને નેતાઓ વચ્ચે રૂમાલને લઈને રાજકારણ શરૂ થયું છે. આ ઘટના બાદ શિવસેના અને એનસીપી વચ્ચે તણાવ વધ્યો છે. આ સમગ્ર વિવાદ રાયગઢ જિલ્લાના વાલી પ્રધાન પદને લઈને હોવાનું માનવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ આ વિવાદ સતત વધી રહ્યો છે, અને હવે તો તેમાં નવો વળાંક પણ આવ્યો છે.

સુનીલ તટકરેએ ગોગાવલેની રૂમાલ સ્ટાઇલની મજાક ઉડાવી

વિગતે વાત કરવામાં આવે તો, શિવસેના નેતા ભરત ગોગાવલેના સમર્થકોએ રવિવારે તેમના જન્મદિવસ નિમિત્તે રૂમાલ વહેંચ્યા હતા, થોડા દિવસો પહેલા જ એનસીપી નેતા સુનીલ તટકરેએ તેમના રાજકીય હરીફની ‘રૂમાલ સ્ટાઇલ’ની મજાક ઉડાવી હતી. ઘટના એવી છે કે, ગત મહિને તટકરેએ એક પાર્ટી કાર્યક્રમમાં તેમના ખભા પર ટુવાલ રાખ્યો હતો, જેમાં દેખીતી રીતે ગોગાવલેની રીતભાતની મજાક ઉડાવવામા આવી હતી. જેથી આ વિવાદ વધારે આગળ વધ્યો છે.

ભરત ગોગાવલે અને સુનીલ તટકરેનો વધારે ઉગ્ર બન્યો

અત્રે ઉલ્લેખનીય છે કે, ભરત ગોગાવલેના સમર્થકોએ તેમના જન્મદિવસ નિમિત્તે રૂમાલ વહેંચ્યા હતા. ભરત ગોગાવલે અને એનસીપી નેતા સુનીલ તટકરે વચ્ચે જૂની દુશ્મનાવટ તો ચાલે છે તે આખુ મહારાષ્ટ્ર જાણે છે, પરંતુ હવે તેમાં નવો વળાંક આવ્યો જ્યારે તટકરેની પુત્રી અને મહિલા અને બાળ વિકાસ પ્રધાન અદિતિ તટકરેને રાયગઢ જિલ્લાના ગાર્ડિયન મિનિસ્ટર બનાવવામાં આવ્યા. કારણે આ પદ પર ભરત ગોગાવલે પહેલાથી જ નજર રાખી રહ્યા હતા. જેથી આ નિર્ણય બાદથી બંને નેતાઓ વચ્ચે ટકરાવ થયો છે. મહત્વની વાત એ છે કે, બધુ બરાબર ચાલે છે તેવું દર્શાવવા માટે સરકારે રાયગઢના સંરક્ષણ મિનિસ્ટરના નિર્ણય પર રોક લગાવી દીધી હતી.

આ જિલ્લામાં અમારા ધારાસભ્યોની સંખ્યાં વધારે છેઃ શિવસેના

વિવાદ એવો છે કે, શિવસેના રાયગઢ પદની માંગણી કરી રહ્યું છે. તેમનું કહેવું છે આ જિલ્લામાં તેમના ધારાસભ્યોની સંખ્યાં વધારે છે. પરંતુ સામે એનસીપી પોતાના દાવા પર મક્કમ છે. જેથી આ રાયગઢ પોસ્ટ મુદ્દે રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. તટકરેએ આ માટે રાજ્યથી કેન્દ્ર સુધી પોતાના છેડા અડાડ્યાં છે. એટલું જ નહીં પરંતુ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ તેમના ઘરે ગયા હતા અને બપોરનું ભોજન કર્યું હતું. જેથી ચર્ચાઓ એવી છે કે, અહીં બધુ સેટ થઈ ગયું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અદિતિ તટકરેની નિમણૂક પર રોક તો લગાવી દીધી હતી. હવે આ વિવાદ વચ્ચે આ પદ કોને મળે છે જોવાનું છે.

આ પણ વાંચો…સુપ્રીમ કોર્ટના આદેશથી 2 ટેન્ડર રદ, મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ, એકનાથ શિંદે પાસેથી રાજીનામાની માંગ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button