ટોપ ન્યૂઝનેશનલ

પુરીમાં જય જગન્નાથના ઘોષ સાથે રથયાત્રાનો પ્રારંભ, રૂપકડે રથડે સવાર થયા ભાગવાન જગન્નાથ…

પુરી: આજે ઓડિશાના પુરીના જગન્નાત ભગવાન ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે રૂપકડે રથડે સવાર થઈ મામા ઘરે જવા નીકળ્યા છે. આ રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ ભવ્ય યાત્રા જગન્નાથ મંદિરથી ગુંડિચા મંદિર સુધીની હોય છે, આ 12 દિવસના ભવ્યથી અતિભવ્ય ઉત્સવમાં લાખો શ્રદ્ધાળુઓને જોડાય છે. આ યાત્રા ધાર્મિક-સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.

રથયાત્રાનો પ્રારંભ
27 જૂનથી શરૂ થતી આ રથયાત્રા 8 જુલાઈએ નીલાદ્રિ વિજય સાથે સમાપ્ત થશે, જ્યારે ભગવાન પોતાના નિજ મંદિરમાં પાછા ફરશે. રથયાત્રાની તૈયારીઓ મહિનાઓ પહેલાં શરૂ થઈ જાય છે. ગઈકાલે હજારો ભક્તોએ મંદિરના સિંહદ્વાર ખાતે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના નવયૌવન દર્શન કર્યા. આ દર્શન સવારે 8થી 10:30 વાગ્યા સુધી ખુલ્લાં હતા.

11 જૂને સ્નાન યાત્રા બાદ દેવતાઓના જાહેર દર્શન બંધ કરવામાં આવ્યા હતા, કારણ કે માન્યતા છે કે સ્નાન બાદ દેવતાઓ બીમાર થાય છે અને 15 દિવસ અનાસર ઘરમાં રહે છે. નવયૌવન દર્શન, જેને નેત્રોત્સવ પણ કહેવાય છે. આ દરમિયાન મૂર્તિઓની આંખો રંગવામાં આવે છે. ભગવાન તાલધ્વજ (બલભદ્ર), દેવદલન (સુભદ્રા) અને નંદીઘોષ (જગન્નાથ) ત્રણ રથો પર સવાર થઈ મોસાળ જાય છે.

પ્રશાસનની તૈયારી
રથયાત્રા શાંતિ મયરીતે જાયઈ તે માટે તંત્ર દ્વારા સજ્જડ તૈયારીઓ કરવામાં આવી છે. આ વખત AI-આધારિત CCTV સિસ્ટમ અને વૉર રૂમ સાથે એકીકૃત કમાન્ડ સેન્ટર બનાવાયું છે. ટ્રાફિક અને સુરક્ષા માટે ડ્રોનનો ઉપયોગ થશે. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી અને રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભમપતિએ શ્રદ્ધાળુઓને શુભેચ્છા પાઠવી, ભગવાનના આશીર્વાદની કામના કરી.

યાત્રાનું શેડ્યૂલ
27 જૂનથી રથયાત્રા શરૂ થશે, જેમાં પુરીના રાજા ‘છેરા પહનરા’ રિવાજ પ્રમાણે રથોની સફાઈ કરશે. 1 જુલાઈએ હેરા પંચમી, 4 જુલાઈએ સંધ્યા દર્શન, 5 જુલાઈએ બાહુડા યાત્રા, 6 જુલાઈએ સુના બેશા, 7 જુલાઈએ અધરા પના અને 8 જુલાઈએ નીલાદ્રિ વિજય સાથે યાત્રા પૂર્ણ થશે, જ્યારે દેવતાઓ નિજ મંદિરમાં પાછા ફરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button