દીકરીના ઉછેર અંગે પ્રજ્ઞાસિંહ ઠાકુરનું વિવાદાસ્પદ નિવેદન: “સાંભળે નહીં તો પગ તોડી નાખો”

ભોપાલ: ભૂતપૂર્વ સાંસદ અને ભારતીય જનતા પાર્ટી (BJP)નાં નેતા સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર અવારનવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનોના કારણે ચર્ચાનું કેન્દ્ર બનતા રહે છે. પ્રજ્ઞાસિંહ ઠાકુરેએ કહ્યું છે કે દીકરીઓના ઉછેર અને “લવ જેહાદ”ના મુદ્દા પર છે, જેનાથી રાજકીય અને સામાજિક વર્તુળોમાં જોરદાર ચર્ચા શરૂ થઈ છે. પ્રજ્ઞાસિંહ ઠાકુરનું નિવેદન સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનું કારણ શા માટે બની છે જાણીએ.
દીકરીના સારા ભવિષ્ય માટે માર પણ મારો
સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે જણાવ્યું છે કે, “જો કોઈ દીકરી માતાપિતાની આજ્ઞા તોડીને બીજા ધર્મના પુરુષ પાસે જવાનો પ્રયાસ કરે છે, તો પરિવારે તેને રોકવા માટે કડક વલણ અપનાવવું જોઈએ. જો જરૂરી હોય તો તેનું ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે તેને ઠપકો પણ આપો. જો કોઈ છોકરી સાંભળવાનો ઇનકાર કરે છે, તો તેના પગ તોડી નાખો. જો તમારે તેના ભવિષ્ય માટે તેને માર મારવો પડે છે, તો પાછળ ન હટો.”
તેમણે આગળ જણાવ્યું કે, “જ્યારે દીકરી મોટી થાય છે અને પોતાનો રસ્તો પસંદ કરવાનો પ્રયાસ કરે છે અથવા ઘરેથી ભાગી જવાનો પ્રયાસ કરે છે, ત્યારે પરિવારે સતર્ક રહેવું જોઈએ અને દીકરી સાચા માર્ગ પર રહે તે માટે બળજબરીથી પગલાં લેવામાં પણ અચકાવું જોઈએ નહીં. સાધ્વી પ્રજ્ઞાના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થયો છે, જેથી તેનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે.
મહિલા અધિકાર સંગઠનોએ કરી નિંદા
ઘણા ટીકાકારોએ આ નિવેદનને મહિલાઓના અધિકારો અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અનાદર ગણાવ્યો છે. તેઓ કહે છે કે છોકરીને રોકવા માટે હિંસા કે ધાકધમકીનો આશરો લેવો એ કાયદેસર રીતે અને નૈતિક રીતે ખોટું છે. મહિલા અધિકાર સંગઠનોએ સ્પષ્ટપણે નિંદા કરી છે કે કોઈ પણ પ્રકારની શારીરિક હિંસા વ્યક્તિના અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
તેમના સમર્થકો આ નિવેદનને પરંપરાગત કૌટુંબિક મૂલ્યો અને સંસ્કારોના બચાવ તરીકે જુએ છે. તેમના મતે, બાળકો યોગ્ય દિશામાં મોટા થાય અને બહારના પ્રભાવને વશ ન થાય તેની ખાતરી કરવી એ પરિવાર અને સમાજની ભૂમિકા છે.
રાજકીય વિશ્લેષકો માને છે કે સાધ્વી પ્રજ્ઞા જેવા નેતાઓના વિવાદાસ્પદ નિવેદનો દેશભરમાં ચર્ચા જગાવે છે અને આગામી ચૂંટણીના વાતાવરણને પણ પ્રભાવિત કરી શકે છે. આ સમગ્ર વિવાદે ફરી એકવાર સમાજમાં લવ જેહાદ અને કૌટુંબિક નિયંત્રણ વિશેની ચર્ચાને વેગ આપ્યો છે.