કેન્દ્ર ઝારખંડની માળખાગત સુવિધાઓમાં સુધારો કરવા પ્રતિબદ્ધ
બે લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ અમલમાં મૂકશે: ગડકરી

ગઢવા (ઝારખંડ): કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર ઝારખંડની માળખાગત સુવિધાઓને વધારવા માટે પ્રતિબદ્ધ છે અને રાજ્યમાં બે લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ અમલમાં મૂકવાની લોકોને ખાતરી આપું છું. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન ગડકરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ખનિજ સંસાધનોથી સમૃદ્ધ ઝારખંડમાં હાઇવે ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિકાસ થશે.
તેમણે અહીં એક જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે અમે રાજ્યમાં ૪૦,૦૦૦ કરોડ રૂપિયાના રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે. હાલમાં, અમે ૭૦,૦૦૦ કરોડ રૂપિયાના હાઇવે પ્રોજેક્ટ્સ અમલમાં મૂકી રહ્યા છીએ, જ્યારે ૭૫૦૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે.
તેમણે કહ્યું કે ૩૬,૦૦૦ કરોડ રૂપિયાનો વારાણસી-રાંચી-કોલકાતા ગ્રીનફિલ્ડ કોરિડોર માર્ચ ૨૦૨૮ સુધીમાં પૂર્ણ થશે, જ્યારે ૧૨,૮૦૦ કરોડ રૂપિયાનો રાંચી-વારાણસી આર્થિક કોરિડોર જાન્યુઆરી ૨૦૨૮ સુધીમાં બનાવવામાં આવશે. આ ઉપરાંત, ૩૧,૭૦૦ કરોડ રૂપિયાનો દિલ્હી-કોલકાતા છ-લેન કોરિડોર જૂન ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થશે, એમ તેમણે ઉમેર્યું હતું.
આપણ વાંચો: ધોળાવીરા પહોંચવું હવે થશે વધુ સરળ; નીતિન ગડકરીએ કચ્છ માટે કરી મોટી જાહેરાત
ઝારખંડની જેએમએમની આગેવાની હેઠળની સરકાર દ્વારા લોકશાહીના પગલાં લેવાનો સંકેત આપતા ગડકરીએ કહ્યું કે ચૂંટણી સુધી રાજકારણ હોવું જોઈએ પરંતુ ચૂંટણી પછી, “વિકાસ રાજકારણ” હોવું જોઈએ.
તેમણે ઝારખંડ સરકારને જમીન સંપાદન, વન વિભાગ પાસેથી મંજૂરી અને રાજ્યમાં અન્ય મુદ્દાઓને લગતા અવરોધોને દૂર કરવા પણ વિનંતી કરી હતી. “અમે ઝારખંડ અને બિહાર સહિત અન્ય રાજ્યો વચ્ચે વધુ સારી કનેક્ટિવિટી સુનિશ્ચિત કરીશું,” એમ તેમણે કહ્યું હતું.
આપણ વાંચો: હવે ટુ વ્હિલર પર પણ ટોલ ટેક્સ ભરવો પડશે? જાણો નીતિન ગડકરીએ શું કહ્યું
ગડકરીએ કહ્યું કે રાજ્ય જેનું ૨૦૧૪માં ૨,૬૦૦ કિમીનું રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્ક હતું, તે હવે ૪,૪૭૦ કિમીનું નેટવર્ક છે. તેમણે કહ્યું કે રાજ્યના ઓગણીસ મહત્વાકાંક્ષી જિલ્લાઓ હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્ક સાથે જોડાયેલા છે.
ગઢવામાં એમણે શંખથી ખજૂરી સુધીના ૨૩ કિમી લાંબા ચાર-માર્ગીય ધોરીમાર્ગનું ઉદ્ઘાટન કર્યું, જે ₹. ૧૧૩૦ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હતું. તેમણે છત્તીસગઢ-ઝારખંડ આંતર-રાજ્ય સીમાથી ગુમલા સુધીના એનએચ ૩૯ના ૩૨ કિમી લાંબા પટને ચાર-માર્ગીય બનાવવા માટે ₹ ૧૩૩૦ કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો.