નેશનલ

પાકિસ્તાનને સંવેદનશીલ માહિતી મોકલતા સીઆરપીએફ જવાનની ધરપકડ, પુછપરછ શરૂ

નવી દિલ્હી : દેશમાં ઓપરેશન સિંદૂર બાદ તપાસ એજન્સીઓ સતર્ક બની છે. જેમાં પાકિસ્તાન માટે જાસૂસી કરતી જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ અને ખુલાસા બાદ અનેક જાસૂસોની પણ ધરપકડ કરવામાં આવી રહી છે. આ જ કડીમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીએ(NIA)દિલ્હીથી એક સીઆરપીએફ જવાનની ધરપકડ કરી છે. તેની પર દેશ સાથે સંબંધિત સંવેદનશીલ માહિતી પાકિસ્તાન મોકલવાનો આરોપ છે. આ અહેવાલ અનુસાર સૈનિકને માહિતી મોકલવા બદલ નાણાં મળતા હતા. આ કામ માટે તેમણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો.

સંબંધિત ગુપ્ત માહિતી મોકલવાનું શરૂ કર્યું હતું

એનઆઈએ સીઆરપીએફ જવાનની પૂછપરછ શરૂ કરી દીધી છે. જે સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની ગુપ્તચર સંસ્થાના સંપર્કમાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર સૈનિકે સોશિયલ મીડિયા દ્વારા દેશ સાથે સંબંધિત ગુપ્ત માહિતી મોકલવાનું શરૂ કર્યું હતું. આના બદલામાં તેને નાણાં પણ મળ્યા હતા.

નિયમો મુજબ તેને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો

સીઆરપીએફ જવાનની ધરપકડ બાદ નિયમો મુજબ તેને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો છે. આરોપીએ પાકિસ્તાનમાં બેઠેલા તેના હેન્ડલર્સને ઘણી સંવેદનશીલ માહિતી મોકલી હતી. ઓપરેશન સિંદૂર પછી ભારતમાં ઘણા જાસૂસો પકડાયા છે. જેમાં સૌથી પહેલા જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ થઇ હતી. યુટ્યુબર જ્યોતિ પર પાકિસ્તાનને ગુપ્ત માહિતી મોકલવાનો આરોપ છે. તે ભારતમાં પાકિસ્તાન હાઈ કમિશન દ્વારા પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓના સંપર્કમાં આવી હતી.

ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ

ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો. તેમણે પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત ઘણા આતંકવાદી કેમ્પોનો નાશ કર્યો. તેની બાદ પાકિસ્તાની સેનાએ ભારતના ઘણા શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો. આખરે પાકિસ્તાનને યુદ્ધવિરામ કરવાની ફરજ પડી.

આ પણ વાંચો…પાકિસ્તાનમાં વાવાઝોડા અને વરસાદથી તબાહી: 20 જણનાં મોત, અંધારપટ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button