દિલ્હી બ્લાસ્ટ અંગે વિપક્ષે કેન્દ્ર સરકાર અને સુરક્ષા એજન્સી પર સવાલ ઉઠાવ્યા! જાણો કોણે શું કહ્યું?

નવી દિલ્હી: ગત સોમાવરે દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે એક કારમાં થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુઆંક 13 સુધી પહોંચ્યો છે, તપાસ એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે. એવામાં વિપક્ષે દેશમાં સુરક્ષા વ્યવસ્થા અને આતંકવાદ સામે કાર્યવાહી મામલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.
કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરીને કહ્યું કે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો ત્યાર બાદ મોદી સરકારે કહ્યું હતું કે હવેથી કોઈપણ આતંકવાદી હુમલાને યુદ્ધની ઘોષણા માનવામાં આવશે. હવે આતંકવાદીઓના પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ સાથે સંબંધોની જાણ થઇ છે છતાં, સરકારનો અત્યાર સુધી તેમને આપેલા વચન પ્રમાણે કાર્ય કર્યું નથી.
સુપ્રિયા શ્રીનાતે કહ્યું કે દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટ થયાના પચાસ કલાક બાદ, મોદી સરકારે સ્વીકાર્યું કે આ એક આતંકવાદી હુમલો હતો. પરંતુ પાકિસ્તાન વિશે એક પણ શબ્દ ન કહેવામાં આવ્યો. શું પાકિસ્તાનની સંડોવણી વિના ભારતમાં આતંકવાદી હુમલો થઈ શકે છે?
दिल्ली बम धमाकों के 50 घंटे बाद मोदी सरकार ने आख़िर स्वीकार किया कि यह एक 'आतंकवादी हमला' था
— Supriya Shrinate (@SupriyaShrinate) November 13, 2025
लेकिन पाकिस्तान पर एक शब्द नहीं बोला
क्या पाकिस्तान के बिना भारत में कोई आतंकवादी हमला हो सकता है?
पहलगाम आतंकी हमले के बाद मोदी सरकार ने कहा था कि किसी भी आतंकवादी हमले को युद्ध की… pic.twitter.com/myRaNPMxNx
કોંગ્રેસના નેતા એમ વીરપ્પા મોઇલીએ દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું, “તમે વિચારીને જુઓ આતંકવાદી ઉમર ફરીદાબાદથી દિલ્હીના લાલ કિલ્લા સુધી કાર ચલાવીને આવ્યો? રસ્તામાં તેની કોઈ તપાસ ન થઇ, આની નિંદા થવી જોઈએ. આતંકવાદી મોડ્યુલ પહેલા પકડી શકાયું હોત. સરકારને પણ જવાબદાર ઠેરવવી જોઈએ.”
‘દરેક કાશ્મીરી આતંકવાદી નથી’
જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે આ ઘટનાની ગમે તેટલી નિંદા કરો એટલી ઓછી છે. નિર્દોષ લોકો એ જીવ ગુમાવ્યા. લોકોએ સમજવાની જરૂર છે કે જમ્મુ અને કાશ્મીરમાં રહેતા બધા લોકો આતંકવાદી નથી અને ન તો તેઓ આતંકવાદને સમર્થન આપે છે.
Jammu, J&K: On the car explosion near Delhi's Red Fort Metro Station, Chief Minister Omar Abdullah says, "No matter how much we condemn this incident, it will still not be enough. The killing of innocent people in this manner cannot be justified by any religion or ideology. The… pic.twitter.com/cMw20DsgOL
— IANS (@ians_india) November 13, 2025
સુરક્ષા એજન્સીઓ નિષ્ફળ ગઈ:
પંજાબ સરકારના પ્રધાન હરપાલ સિંહ ચીમાએ સુરક્ષા એજન્સી પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું, “દેશની રાજધાનીમાં બોમ્બ બ્લાસ્ટ થયો, સુરક્ષા એજન્સીઓ વિસ્ફોટ રોકવામાં નિષ્ફળ ગઈ. આ ઇન્ટેલિજન્સ ફેઇલ્યોર છે, કેન્દ્ર સરકાર પર પણ પ્રશ્નો ઉભા થાય છે.”
#WATCH | Chandigarh: On Delhi blast, Punjab Minister Harpal Singh Cheema says, "…In the capital of the country, our intelligence agencies have failed to prevent a bomb from exploding. This is a big question mark on the Bharatiya Janata Party government: it is your intelligence… pic.twitter.com/2adDb2j9Ug
— ANI (@ANI) November 13, 2025
આપણ વાંચો: આ જગ્યાએ રચાયું હતું બોમ્બ બ્લાસ્ટનું કાવતરું! જાણો તપાસ એજન્સીને શું મળ્યું



