નેશનલ

36% ઉમેદવારો સામે ફોજદારી કેસ, સરેરાશ સંપત્તિ રૂ.127.81 કરોડ, જાણો પૂરો અહેવાલ

નવી દિલ્હી: રાજ્યસભા ચૂંટણીના ફોર્મની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ છે, આ દરમિયાન 36 ટકા ઉમેદવારોએ પોતાની સામે ફોજદારી કેસ હોવાનું જાહેર કર્યું છે, વિશ્લેષણ અનુસાર ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 127.81 કરોડ રૂપિયા છે. ચૂંટણી અધિકારો માટે કામ કરતી સંસ્થા ‘એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ’એ આ માહિતી આપી હતી. ADR અને ‘નેશનલ ઇલેક્શન વોચ’ એ 15 રાજ્યોમાં 56 બેઠકો માટે ચૂંટણી મેદાનમાં ઉતારેલા 59 માંથી 58 ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ કર્યું હતું. રાજ્યસભાની ચૂંટણી 27 ફેબ્રુઆરીએ યોજાશે.

અહેવાલ મુજબ દસ્તાવેજો સ્કેન ન થવાના કારણે કર્ણાટકના કોંગ્રેસના ઉમેદવાર જી.સી. ચંદ્રશેખરની એફિડેવિટનું વિશ્લેષણ થઈ શક્યું નથી. અહેવાલ મુજબ વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે 36 ટકા ઉમેદવારોએ પોતાની વિરુદ્ધ ફોજદારી કેસ જાહેર કર્યા છે. જયારે 17 ટકા ઉમેદવારો પર ગંભીર ગુનાહિત આરોપો છે અને એક ઉમેદવાર પર હત્યાના પ્રયાસ સંબંધિત આરોપ છે.


અહેવાલો મુજબ, ભાજપના 30માંથી આઠ ઉમેદવારો, કોંગ્રેસના નવમાંથી છ ઉમેદવારો, તૃણમૂલ કોંગ્રેસના ચારમાંથી એક ઉમેદવાર, સમાજવાદી પાર્ટીના ત્રણમાંથી બે ઉમેદવારો, વાયએસઆરસીપીના ત્રણ ઉમેદવારોમાંથી એક, આરજેડીના બે ઉમેદવારમાંથી એક, બીજેડીના બે ઉમેદવારોમાંથી એક અને બીઆરએસના એક ઉમેદવારે એફિડેવિટમાં પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે.


વિશ્લેષણમાં ઉમેદવારોની નાણાકીય પૃષ્ઠભૂમિની પણ તપાસ કરવામાં આવી હતી. લગભગ 21 ટકા ઉમેદવારો અબજોપતિ છે, જેની સંપત્તિ રૂ.100 કરોડથી વધુ છે. રાજ્યસભાના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 127.81 કરોડ રૂપિયા છે. હિમાચલ પ્રદેશના કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવીની કુલ સંપત્તિ 1,872 કરોડ રૂપિયા છે, ઉત્તર પ્રદેશમાંથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર જયા અમિતાભ બચ્ચનની કુલ સંપત્તિ 1,578 કરોડ રૂપિયા છે અને કર્ણાટકમાંથી જનતા દળ (સેક્યુલર)ના ઉમેદવાર કુપેન્દ્ર રેડ્ડી પાસે કુલ 871 કરોડ રૂપિયાની સંપત્તિ છે.


અહેવાલો મુજબ, સૌથી ઓછી સંપત્તિ ધરાવતા ઉમેદવાર મધ્યપ્રદેશના ભાજપના ઉમેદવાર બાલયોગી ઉમેશ નાથ છે, જેમની પાસે 47 લાખ રૂપિયાની સંપત્તિ છે. એ જ રીતે પશ્ચિમ બંગાળના ભાજપના ઉમેદવાર સમિક ભટ્ટાચાર્ય પાસે 1 કરોડ રૂપિયાની સંપત્તિ છે જ્યારે ઉત્તર પ્રદેશના ભાજપના ઉમેદવાર સંગીતા પાસે 1 કરોડ રૂપિયાની સંપત્તિ છે. માહિતી અનુસાર, 17 ટકા ઉમેદવારો 5 થી 12 સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવે છે, જ્યારે 79 ટકા ઉમેદવારો પાસે ગ્રેજ્યુએશન અથવા ઉચ્ચ ડિગ્રી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme Astrology marriage dates warning