બદ્રીનાથ હાઈવે પર બસ ખીણમાં ખાબકી, 1નું મોત, 9 ઘાયલ, 10 ગુમ

રુદ્રપ્રયાગ: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં બદ્રીનાથ હાઈવે પર જતી બસને અકસ્માત નડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. આ દુર્ઘટનામાં એક ટેમ્પો ટ્રેવેલરનો ખીણમાં ખાબકીને અલકનંદા નંદીમાં સમાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાની સાથે રાહત અને બચાવ કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે આજે સવારે રુદ્રપ્રયાગના ઘોલતીર ગામ નજીક બદ્રીનાથ હાઈવે પર એક બસ અનિયંત્રિત થઈને ખીણમાં ખાબકી હતી. જે બાદ અલકનંદા નદીમાં ડૂબી ગઈ હતી. આ વાહનમાં લગભગ 18થી 19 યાત્રીઓ સવાર હતા, જેઓ રાજસ્થાનથી ઉત્તરાખંડ આવી રહ્યા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં એક મહિલાના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે. જ્યારે સાત લોકો ઘાયલ થયા છે, જેમાં બે 9 વર્ષના બાળકો પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, લગભગ દસ યાત્રીઓ હજુ લાપતા છે.
રાહત અને બચાવ કામગીરી
ઘટનાની જાણ થતાં સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક પોલીસ અને વહીવટને જાણ કરી. NDRF, SDRF અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અલકનંદા નદીના ઘસમસતા પ્રવાહને કારણે બચાવ કાર્યમાં બાંધા આવી રહી છે. પરંતુ રેસ્ક્યૂ ઓપરેશન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને ગુમ યાત્રીઓની શોધખોળ ચાલુ છે.
આ ઘટનાની બાદ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ઘટનાની જાણકારી લીધી હતી. આ ઉપરાંત દુર્ઘટનાગ્રસ્ત લોકોને તમામ સહાય પૂરી પાડવાનો આદેશ પણ આપ્યો હતો. આપદા વ્યવસ્થાપન વિભાગના સચિવ વિનોદ કુમાર સુમનએ જણાવ્યું કે તમામ એજન્સીઓ સંકલન સાથે રાહત કાર્યમાં જોડાઈ છે. પરિવારો માટે સહાય કેન્દ્રો પણ શરૂ કરવામાં આવ્યા છે.